કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના એક ટ્વિટએ કોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક વિવાદને ઉછાળ્યો છે. ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ સામે અર્જૂન મોઢવાડિયાએ નારાજગી વ્યક્ત કરી છે. અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટ કરીને બળાપો કાઢ્યો છે. મોઢવાડિયાના આ ટ્વિટથી રાષ્ટ્રિય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ વચ્ચે આ અંગે ચર્ચાઓ જાગશે.
રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓથી નારાજ મોઢવાડિયા
દિલ્હીમાં કેટલાક બની બેઠેલા નેતાઓ છે
રાજ્ય કે જિલ્લામાં જેમની કોઇ પકડ નથી
અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યા છે કે, દિલ્હીમાં કેટલાક બની બેઠેલા નેતાઓ છે. રાજ્ય કે જિલ્લામાં જેમની કોઇ પકડ નથી તેઓ દિલ્હીમાં બેઠા છે. રાજ્યના સિનિયર નેતાઓને ક્યારેક મળે છે. હાર બાદ ઉંચા પદ પર બેસીને અખિલભારતીય કોંગ્રેસ સમિતિને મીડિયા થકી સલાહ આપે છે! પક્ષ આવા નેતાઓને પહેલાં કાર્યકર્તા તરીકે કામ કરાવે. મોઢવાડિયાના આ ટ્વિટ બાદ ગુજરાત અને દિલ્હીના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
Some of our “learned leaders"
- who live in Delhi
- no roots in state/district/village
- leave alone workers, rarely available to senior state leaders
- seated on high chair advise @INCIndia in every defeat thru media
May party compel them to practice
as workers for months?
ત્યારે અનેક સવાલો થાય છે કે, મોઢવાડિયાનો કોના તરફ ઈશારો કરી રહ્યા છે? દિલ્હીમાં બેઠેલા ક્યાં નેતાની કરી નિંદા? કોણ છે બની બેઠેલા નેતા?
મહત્વનું છે કે અર્જુન મોઢવાડીયાને છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ મોટી જવાબદારી સોંપવામાં નથી આવી. તેઓને સાઈડલાઇન કરાતા હોવાનું અનુભવાતા આ પ્રકારનું ટ્વિટ કરીને તેમના પ્રતિસ્પર્ધી જેમને હાલમાં જ દિલ્હીમાં જવાબદારી સોંપવામાં આવી છે તેવા પ્રદેશના જ નેતા સામે આરોપ લગાવ્યા હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે.