રાજ્યમાં કોરોનાથી થતા મૃત્યુના આંકડા છુપાવવાનો કારસો રચવામાં આવ્યો છે. VTV ન્યૂઝે સરકારે જાહેર કરાયેલ આંકડા અંગે જ્યારે રિયાલિટી ચેક કર્યુ તો કંઈક ઔર જ જાણવા મળ્યું હતુ. રાત્રે કર્ફ્યુની આડમાં અમદાવાદના સ્મશાન કોરોનાના દર્દીઓના ગુપચુપ અગ્નિ સંસ્કાર થતું હોવાનું માલૂમ થયું હતુ. જે મુદ્દે ભાજપ મૌન છે તો વિપક્ષના નેતાએ પણ આક્ષેપ લગાવતા શું કહ્યુ જુઓ.
કોરોનાનો મૃત્યઆંક છુપાવવાનો મામલો
VTVના અહેવાલ બાદ હકીકત આવી સામે
સ્મશાનના મૃત્યુઆંક અને સરકારી આંકડામાં તફાવત
રાજય સરકાર દ્વારા કોરોનાના કારણે મોત થતા લોકોના આંકડા છુપાવામાં આવે છે.જે અંગે વી.ટી.વી. ની ટીમ દ્વારા ગઈકાલે અમદાવાદ ના અલગ અલગ ૩ સ્મશાન ગૃહો માં રીયાલીટી ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો .જેમાં પરિસ્થિતિ કઈ ક અલગ જ જોવા મળી હતી.
પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક છુપાવીને સરકાર લોકોને અંધારામાં રાખી રહી છે: અર્જુન મોઢવાડિયા
આ બાબતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા. સરકારની આ નીતિને ગંભીર ગણાવતા જણાવ્યું હતું કે, મહામારીના સમયમાં સરકારે લોકોને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવા જોઇએ. જેથી લોકો કોરોનાની ગંભીરતાને સમજી શકે પરંતુ આ રીતે પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક છુપાવીને સરકાર લોકોને અંધારામાં રાખી રહી છે. જે ગંભીર બાબત છે.
રાજ્યમાં કોરોનાથી થતા મૃત્યુના આંકડા છુપાવવાનો કારસો રચવામાં આવ્યો છે. VTV ન્યૂઝે સરકારે જાહેર કરાયેલ આંકડા અંગે જ્યારે રિયાલિટી ચેક કર્યુ તો કંઈક ઔર જ જાણવા મળ્યું હતુ. રાત્રે કર્ફ્યુની આડમાં અમદાવાદના સ્મશાન કોરોનાના દર્દીઓના ગુપચુપ અગ્નિ સંસ્કાર થતું હોવાનું માલૂમ થયું હતુ.
બે કલાકમાં 20 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાયા
રાતે બે કલાકમાં 20 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાયા હતા. સવારે VTVએ અમદાવાદના 3 સ્મશાન ગૃહની મુલાકાત લીધી હતી. વાડજ, થલતેજ અને દુધેશ્વર સ્માશાનગૃહ દિવસે ખાલી જોવા મળ્યા હતા. જે સાફ સાફ એ વાત પર ઈશારો કરી રહ્યું છે કે, દિવસે કોરોના દર્દીના મૃતદેહના અગ્નિ સંસ્કાર નથી કરાતા એટલું જ નહીં પણ મૃતકોની ઓછી સંખ્યા દેખાડવા રાત્રે જ અંતિમ સંસ્કાર કરાય છે.
ભાજપના નેતાઓનું મૌન
VTV ન્યૂઝના રિઆલીટી ચેક મુદ્દે શહેર ભાજપના નેતાઓ મૌન સેવ્યું હતુ. એટલું જ નહીં પણ ભાજપે પોતાના પ્રવક્તાઓને પણ આ મુદ્દે બોલવાની મનાઈ ફરમાવી દીધી હતી. મેયર સહિતના નેતાઓ આ અંગે ચુપ્પી સાધી રહ્યાં છે.
રાજ્યસરકાર અને અમદાવાદ મહાનગપાલિકાનો ભાંડો ફૂટ્યો
રાજ્યમાં કોરોનાના આંકડાને લઈને સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી માત્ર સંદેહ નહી પરંતુ આંકડા છુપાવવાના ખેલનો પર્દાફાસ પણ થઈ રહ્યો છે અને તંત્રની પોલ ખુલી રહી છે. અમારા સ્ટિંગ ઓપરેશનમાં રાજ્યસરકાર અને અમદાવાદ મહાનગપાલિકાનો ભાંડો ફૂટ્યો છે.
સ્મશાન ગૃહ પાસેથી ગ્રાઉન્ડ ઝીરો અહેવાલ પ્રસારિત કર્યો
છેલ્લા 3 દિવસથી અમે સબૂત દેખાડી રહ્યા છીએ જેના આધારે ડંકાની ચોટ પર કહી શકાય કે, ગુજરાત સરકાર કોરોનાથી થતા મૃત્યુંના આંકડાઓ છુપારી રહ્યા છે. સરકારી આંકડાઓનો ભાંડો ફોડવા માટે વીટીવી ટીમે ગુરુવારે રાત્રે પણ સ્મશાન ગૃહ પાસેથી ગ્રાઉન્ડ ઝીરો અહેવાલ પ્રસારિત કર્યો હતો.
ગુજરાતમાં માત્ર 13 મૃત્યું થયા હોવાના સરકારી આંકડા
રાત્રે 10થી 12 વાગ્યા દરમિયાન પણ સ્મશાન ગૃહ બહાર મોટુ વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું હતું. અમદાવાદમાં માત્ર 3 જ સ્મશાન ગૃહમાં 2 કલાકમાં 10 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં રાત્રે 2 કલાકમાં 20 મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા. માત્ર અમાદવાદ શહેરમાં 2 કલાકમાં આટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હોવા છતા તંત્ર પોતાના ચોપડે આખા ગુજરાતમાં માત્ર 13 મૃત્યું થયા હોવાનું જ દર્શાવી રહ્યુ છે.
ચીઠ્ઠીમાં પણ કોરોનાને બદલે અન્ય બિમારીનું નામ લખવામાં આવે છે
ગુજરાત સરકાર કોરોનાને ડામવામાં સફળ રહી છે તેવું સાબિત કરવા માટે સરકાર મૃત્યુંના સાચા આંકડા છુપાવી રહી છે. મૃતકોના પરિવારજનોને પણ પોલીસની ધમકી આપવામાં આવી રહી છે. સ્મશાન અને હોસ્પિટલમાંથી મળતી ચીઠ્ઠીમાં પણ કોરોનાને બદલે અન્ય બિમારીનું નામ લખવામાં આવે છે. હિન્દુ ધર્મ પ્રમાણે રાત્રે સંધ્યાકાળ બાદ અગ્નિસંસ્કાર કરવામાં નથી આવતા પરંતુ અમદાવાદમાં કોરોનાનો કહેર એ હદે ફેલાયો છે કે, હોસ્પિટલમાં તો દૂર પરંતુ સ્મશાનમાં પણ લાંબુ વેઇટિંગ છે અને રાજ્ય સરકાર આ સાચી સ્થિતિ જનતાથી છુપાવી રહી છે.