ભરશિયાળે ગુજરાતમાં દારુબંધી અને સરકારી ભરતીના પેપર લીકના મુદ્દાને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. રાજકીય રોટલા શેકવા માટે નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે.
કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાનું નિવેદન
દારૂબંધી અંગે હળવાશથી નિર્ણય ન લઇ શકાય
ઈન્દિરા ગાંધીએ ક્યારેય દારૂ પીવા અંગે નથી કહ્યું
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના દારૂબંધીના નિવેદન બાદ હાલમાં કોંગ્રેસના જ નેતાઓએ સ્પષ્ટતા આપવા સામે આવવું પડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવા઼ડિયાએ ગુજરાતમાં દારૂબંધીને લઈને નિવેદન આપ્યું હતું અને સાથે સાથે હેડ ક્લાર્ક ભરતીમાં પેપર લીકના મુદ્દાને ટાંકીને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા.
દારૂબંધી હળવાશથી લઈ ન શકાય : મોઢવાડિયા
દારૂબંધી અંગે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા કહ્યું કે દારૂબંધી અંગે હળવાશથી નિર્ણય ન લઇ શકાય. જજ, સમાજશાસ્ત્રી અને નિષ્ણાતો સાથે વાર્તાલાપ થવો જોઈએ મહત્વનું છે કે ગઈ કાલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ દારૂબંધી અંગે નિવેદન કર્યું હતું જે બાદ રાજકારણ ગરમાયું છે.
ભરતસિંહ સોલંકીના નિવેદનથી રાજકીય ગરમાવો
ગઈ કાલે ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદ્દઘાટનમાં ભરતસિંહે કહ્યું કે ઠંડીમાં જમવાની સાથે અન્ય વ્યવસ્થા થઈ શકે એમ નથી,ગુજરાતમાં મનાઈ છે. તેવા નિવેદનથી ગુજરાતમાં દારુબંધી અંગે ફરી રાજકારણ ગરમાયું છે વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સમય સાથે બદલાવ આવશે,વધુમાં ભરતસિંહે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ગેરકાયદે દારુ વેચાય છે ત્યારે ગુજરાતની જનતા દારૂબંધીના નિર્ણય અંગે નક્કી કરે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં છૂટથી દારૂ વેચાય છે, જો લીગલ વેચાતો હોત તો સરકારને ટેક્ષરૂપે ફાયદો થાત..કહેતા હવે રાજકારણ ગરમાયું છે
ઈન્દિરા ગાંધીએ ક્યારેય દારૂ પીવા અંગે નથી કહ્યું : અર્જુન મોઢવાડીયા
ભરતસિંહે ઈંન્દિરા ગાંધીનું નામ લેતા કહ્યું હતું કે ઈન્દિરાજી કહેતા કે ધનાઢય લોકો દારૂ પીવે તો ચાલે પણ જ્યારે ગરીબોની વાત આવે તો.. ક્યારે આજે કોંગ્રેસ નેતા અર્જન મોઢવાડિયાએ ભરતસિંહના નિવેદન પર જણાવ્યું છે કે ઈન્દિરા ગાંધીએ ક્યારેય દારૂ પીવા અંગે નથી કહ્યું, કોઈપણ નેતા દારૂ પીવા પ્રોત્સાહન ન આપી શકે. તેમણે વધુમાં કહ્યું કે દારૂબંધી અંગે હળવાશથી નિર્ણય ન લઇ શકાય, જજ, સમાજશાસ્ત્રી અને નિષ્ણાતો સાથે વાર્તાલાપ થવો જોઈએ.
યુવાઓ ક્રાંતિ કરી રસ્તા પર આવે તે પહેલાં સરકાર જાગી જાય
અર્જુન મોઢવાડીયાએ પેપર લીક અંગે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા રાજ્યમાં એવી એક પણ ભરતી નથી કે જેના પેપર લીક ન થયા હોય, પેપર લીક થતા ભાજપના મળતીયાઓને લાભ થાય છે, દર વખતે પુરાવા રજૂ કરવામાં આવે છે યુવાઓ ક્રાંતિ કરી રસ્તા પર આવે તે પહેલાં સરકાર જાગી જાય એમ સરકારને સુફિયાણી સલાહ આપી હતી.
દારૂબંધી અંગે ધારાસભ્ય જશુભાઈ પટેલનું નિવેદન
દારૂબંધી અંગે ધારાસભ્ય જશુભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે દારૂબંધી હોવા છતાં રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. રાજ્યમાં છૂટથી દારૂ વેચાય અને પીવાય છે ત્યારે ગાંધી-સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ તેમ જશુભાઈ પટેલ જણાવ્યું છે.
વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું નિવેદન
દારૂબંધી મદ્દે ભરતસિંહના નિવેદન બાદ કોંગ્રેસમાં મત મંતાતર જોવા મળી રહ્યા છે. દારૂબંધી અંગે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપતા કહ્યું છે કે ભરતસિંહના નિવેદનથી કોંગ્રેસ પક્ષને દૂર કર્યો છે, સુખરામ રાઠવાએ ભરતસિંહનું નિવેદન વ્યક્તિગત હોવાનું જણાવ્યું છે. રાજ્યમાં દારૂબંધી હોવી જ જોઈએ. દારૂના દુષણથી તમામ સમાજ બરબાદ થયા છે. જનતા અને માતા- પિતા, બહેનો ન ઇચ્છે ત્યા સુધી દારૂબંધી જરૂરી હોવાનું વિપક્ષ નેતાએ જણાવ્યું છે.