કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ સ્પેશિયલ પેકેજ પર નાણામંત્રી નિર્મલા સીતારમણની અંતિમ જાહેરાત બાદ નિરાશા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે એ સ્પષ્ટ થઇ ગયું છે કે દેશને આવા ખરાબ આર્થિક સ્થિતિમાંથી નીકાળવા માટે કેન્દ્ર સરકારની પાસે કોઇ રોડમેપ નથી. સરકાર આ લોનને પ્રોત્સાહન પેકેજ ન કહી શકે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ સ્પેશિયલ પેકેજ પર નિરાશા વ્યક્ત કરી
ખરાબ આર્થિક સ્થિતિમાંથી નીકાળવા માટે કેન્દ્ર સરકારની પાસે કોઇ રોડમેપ નથી
તમામ દેશોની સરકારોએ પોતાની જનતા માટે તાત્કાલિક રાહત આપતા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે. શહેરી ગરીબ લોકો અને પ્રવાસી મજૂરો માટે સરકારે પોતાના પેકેજમાં કંઇપણ આપ્યું નથી.
કોરોના સંકટથી ઉભા થયેલા આર્થિક સંકટ વચ્ચે પીએમ મોદી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના સ્પેશિયલ પેકેજની જાહેરાત પર પલટવાર કરતા આનંદ શર્માએ કહ્યું કે પેકેજ માત્ર 3.22 લાખ કરોડ રૂપિયાનું જ છે, જે જીડીપીના 1.6 ટકા છે. 20 લાખ કરોડનું પેકેજ નથી, જેવુ કે પીએમ મોદીએ કહ્યું હતું.
આનંદ શર્માએ સાથે કહ્યું કે નાણામંત્રીની સ્થિતિ સમજી શકાય તેમ છે કેમકે અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઇ ચૂકી છે અને શિષ્ટાચાર બનાવી રાખવનો છે પરંતુ રેલની વ્યવસ્થા કેમ કરાઇ રહી નથી. લોકો રસ્તાઓ પર કેમ મરી રહ્યા છે.