ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આજથી કોંગ્રેસના જનજાગરણ અભિયાનનો પ્રારંભ, કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું સૂચક નિવેદન સામે આવ્યું
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં
જસદણમાં નરેશ પટેલના નિવેદન પર રાજકારણ ગરમાયું
નરેશ પટેલના નિવેદન પર અમિત ચાવડાની પ્રતિક્રયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં દેખાઇ રહી છે.આજથી કોંગ્રેસના જનજાગરણ અભિયાનનો પ્રારંભ થયો છે અમદાવાદના ખોખરા વિસ્તારથી શરુ કરાયેલા આ જનજાગરણ અભિયાનમાં કોરોના મહામારી, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરશે, અને આગામી 29મી તારીખ સુધી તમામ જિલ્લા અને તાલુકા મથકે કોંગ્રેસનું અભિયાન ચલાવશે કોંગ્રેસ જનજાગરણ અભિયાન સાથે સભ્ય નોંધણી અભિયાનની પણ ચલાવશે જેમાં કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણીને પણ વેગવાન બનાવવામાં આવશે.
અમિત ચાવડાની નોનવેજની લારીઓ મુદ્દે નિવેદન
આજે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે પતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નાના લોકો લારી ચલાવે એમાં પણ ભાજપને વાંધો છે. કોરોનામાં લોકો હેરાન થઈ ગયા છતા ભાજપ હજુ લોકોને હેરાન કરવાનું છોડતીનથી, લોકો પાસે ધંધા રોજગાર નથી ત્યારે નોનવેજની લારી બંધ કરાવવી યોગ્ય નથી, જો જગ્યાને અભાવ હોય તો સરકાર વ્યવસ્થા કરી આપે તેવું અમિત ચાવડાએ જણાવ્યું હતું.. બીજી તરફ શિક્ષણના ખાનગીકરણના મામલે પણ નિવેદન આપતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સ્થિતિ કથળી રહી છે, ત્યારે સરકારને શિક્ષણના ખાનગીકરણમાં જ રસ છે સરકાર વ્યવસ્થા બદલવાને બદલે મંત્રીઓ બદલી સંતોષ માને છે.
નરેશ પટેલના નિવેદન પર અમિત ચાવડાની પ્રતિક્રયા
મહત્વનું છે કે જસદણમાં ગઈ કાલે જસદણમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે હાર્દિક પટેલ તથા અલ્પેશ કથીરિયાનાં આડકતરી રીતે વખાણ કર્યાં હતાં. નરેશ પટેલે નામ લીધા વિના મંચ પર હાજર રહેલા હાર્દિક અને અલ્પેશ કથીરીયા તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં યુવાનોએ પોતાની તાકાત શું છે તે બતાવી દીધી છે અને યુવાનો શું કરી શકે તેનો પરિચય આપી દીધો છે નરેશ પટેલે પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદન બાદ અમિત ચાવડાએ પણ પ્રતિક્રયા આપી છે. અમિત ચાવડાએ કહ્યું કે આગામી ચૂંટણીમાં હવે પ્રજાનું શાસન આવશે. દરેક સમાજ પોતાનું પ્રતિનિધિત્વ ઇચ્છી રહ્યો છે ત્યારે પ્રજાનો નિર્ણય આખરી હોવાની વાત જણાવતા અમિત ચાવડાએ કહ્યું કે શાસન કોના હાથમાં આપવું પ્રજા નક્કી કરે,
મંત્રી વિનુ મોરડિયાએ કહ્યું નિવેદન વ્યકિતગત
જસદણમાં એક કાર્યક્રમમાં નરેશ પટેલ અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કરેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે, હિત ઈચ્છે તેવા રાજકારણીઓને ખુરશીએ બેસાડજો તેવા નરેશ પટેલના નિવેદન બાદ મંત્રી વિનોદ મોરડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં વિનુ મોરડિયાએ નરેશ પટેલના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું છે, નરેશ પટેલની વાતમાં રાજકીય એંગલ હોવાની વાત નકારી હતી, વિનુ મોરડિયાએ કહ્યું કે ભાજપ સૌને સાથે લઈને ચાલે છે.
નરેશ પટેલના નિવેદનને ગીતા પટેલનું સમર્થન
આ તરફ કોંગ્રેસ નેતા ગીતા પટેલે નરેશ પટેલના નિવેદનને સમર્થન આપ્યું હતું, તેમણે જણાવ્યું કે પાટીદારો પોતાનો પાવર બતાવશે, પાટીદાર આંદોલન સમયના કેસ હજુ પાછા ખેંચાયા નથી, ત્યારે ગીતા પટેલે કહ્યું કે અમે સરકાર પાસે ભીખ નથી માંગતા, અલ્ટીમેટમ આપીએ છીએ, જો કેસ પાછા નહીં ખેંચાય તો અમે પાવર બતાવીશું,મહત્વનું છે કે નરેશ પટેલના નિવેદન બાદ હાર્દિક પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે જેમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ હુંકાર કરતા કહી રહ્યા છે કે આજે ઘરનો ડાયરો છે,ઘરના લોકો છે તો એક વાત કરવી છે હાર્દિકે કહ્યું હતું કે મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી ભેગા થવુ,ગ્રાઉન્ડમાં આવીને સાથે બેસવુ એ સંગઠિત થયા તેવુ નથી, પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત થવાનું નથી પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત થવાનું નથી સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે તેમજ જણાવતા હાર્દિકે હુકાર કર્યો હતો.