અલ્પેશ ઠાકોર મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ઠાકોર સેનાના હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઠાકોર સેનાના હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરને 24 કલાકમાં કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. આ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહે પણ દાવો કર્યો છે કે, અલ્પેશ ઠાકોર 24 કલાકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અલ્પેશે પ્રિપ્લાન રચ્યું હોવા ચર્ચા વહેતી થઈ છે.