કોંગ્રેસ નેતા અહેમદ પટેલને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી સમન્સ પાઠવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. હવાલા ટ્રાન્ઝેક્શન તપાસ માટે નોટિસ પાઠવવામાં આવી છે.
અહેમદ પટેલની વધશે મુશ્કેલી
IT વિભાગની નોટિસ
400 કરોડના થયા ટ્રાન્ઝેકશન
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવવામાં આવી છે. અહેમદ પટેલને પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શન મામલે નોટિસ આપી આઇટી સમક્ષ હાજર થવાના આદેશ અપાયા છે. કોંગ્રેસના ખજાનચી હોવાથી અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવશે. કોંગ્રેસના ખાતાઓમાં 400 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મામલે IT વિભાગ તપાસ ચાલી રહી છે.
મહત્વનું છે કે, અહેમદ પટેલ હાલ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ખજાનચી છે. જેને લઇને અહેમદ પટેલને કોંગ્રેસ વતી આ નોટિસ અપાઇ છે. ઈન્કમ ટેક્સ વિભાગ અલગ અલગ કંપનીઓ દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યું છે.
એવું માનવામાં આવે છે કે, 400 કરોડથી વધુની રકમ હવાલા મારફતે કોંગ્રેસના ખાતાઓમાં આવી હતી. અહેમદ પટેલને આ નોટિસ મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતથી કોંગ્રેસના ખાતાઓમાં આવેલા નાણા બાબતે આપવામાં આવી છે.