ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના અધિકારીઓએ સાંડેસરા બંધુ બેંક કૌભાંડ અને મની લોન્ડ્રિંગ મામલે ગુરૂવાર સવારે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલે તેમના નિવાસ સ્થાન ચોથી વખત પૂછપરછ કરી. આ પૂછપરછ બાદ તેમણે પ્રતિક્રિયા આપી હતી.
અહેમદ પટેલની ચોથી વખત કરી પૂછપરછ
EDએ અહેમદ પટેલના નિવાસ સ્થાને કરી પૂછપરછ
2 જૂલાઇએ અંદાજિત 10 કલાક સુધી પૂછપરછ કરાઇ હતી
કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિવાસસ્થાને આજે ફરી ઈડીના અધિકારીઓ પહોંચ્યા હતા. EDના અધિકારીઓએ અહેમદ પટેલની પૂછપરછ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, EDની ત્રણ સભ્યોવાળી ટીમે રાજ્યસભા સાંસદના 23, મધર ટેરેસા ક્રીસેન્ટ આવાસ પર સવારે અંદાજિત 11 વાગ્યે પહોંચ્યા હતા. આ પહેલા અહેમદ પટેલની આ મામલે 2 જૂલાઇએ અંદાજિત 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
...પરંતુ કોંગ્રેસના નેતાની જ કેમ પૂછપરછ થાય છે અન્યા પાર્ટીના નેતાઓની પૂછપરછ કરો
આ મામલે અહેમદ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજે ઈડીના અધિકારીઓએ મને 24 પ્રશ્નો પૂછ્યા હતા. તેના તમામ જવાબ મેં આપ્યા. અહેમદ પટેલે કહ્યું કે માત્ર કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓની કેમ પૂછપરછ કરાય છે. મારા સિવાય બીજી પાર્ટીના નેતાઓની પણ પૂછપરછ કરો. જો હું દોષિત હોવું તો મને જે સજા કરવી હોય તે કરો. અહેમદ પટેલે આક્ષેપ લગાવ્યો કે મારી પર બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.