લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પણ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલ પણ ગુજરાતમાં સભાઓ કરી રહ્યા છે. ત્યારે એક સભા દરમિયાન તેમણે મોટું નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. સાબરકાંઠામાં અહેમદ પટેલે કહ્યું કે, 23મી તારખી પછી મોદી એક્સ PM કહેવાશે. વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં 24 કલાક વીજળી છે તેવું કહેવાય છે પરંતુ હજૂ પણ ગામડાઓમાં વીજળીની સમસ્યા છે.
થોડા દિવસ અગાઉ પણ અહેમદ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ કરતા કોંગ્રેસની વધુ બેઠકો પર જીતશે. મોદી સરકારમાં ખેડૂતો, ગરીબો અને યુવકોની હાલત બગડી છે. સરકારે 5 વર્ષમાં માત્ર ખોટા વચનો જ આપ્યા હતા. આતંકવાદનો ખાત્મો કોંગ્રેસે જ બોલાવ્યો, કોંગ્રેસના નેતાઓએ શહીદી વ્હોરી હતી. જોકે, 2 કરોડ રોજગારી, ખાતામાં 15 લાખ, ખેડૂતોની દેવામાફી વગેરે વચનો ભાજપે પુરા કર્યા નથી.