લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ (Adhir Ranjan Chowdhury) જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક (Satya Pal Malik) પર નિશાન સાધ્યું છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મને લાગે છે કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલને ત્યાંના ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવા જોઇએ, કેમ કે તેમના વ્યવહારની સાથે- સાથે તેમનાં નિવેદનો પણ ભાજપના નેતા જેવાં છે.
ઉલ્લેખનીય છે કે સત્યપાલ મલિકે રાહુલ ગાંધીની કાશ્મીર યાત્રા પર નિશાન સાધતાં કહ્યું હતું કે અત્યારે અહીં તેમની કોઇ જરૂર નથી. જ્યારે તેમની જરૂર હતી ત્યારે તેઓ સહયોગી કાશ્મીર મુદ્દાને લઇને સંસદમાં બોલી રહ્યા હતાં.
Adhir Ranjan Chowdhury, Congress: I think the Governor of Jammu & Kashmir should be made the BJP (Bharatiya Janata Party) President for J&K because his behaviour as well as his statements are more like that of a BJP leader. pic.twitter.com/z1uoz8uxZt
દિલ્હીમાં રાહુલ ગાંધી જે જૂઠું બોલ્યા હતા તેને દોહરાવવા ઇચ્છતા હતા. આ સારી વાત નથી. રાહુલ ગાંધીને શનિવારે વિપક્ષી દળોના પ્રતિનિધિમંડળ સાથે કાશ્મીરની મુલાકાત કરવાની પરવાનગી ન મળવાને લઇ સરકારની ટીકા કરતાં તેમણે કહ્યું કે આના પરથી સંકેત મળે છે કે પરિસ્થિતિ હજુ સામાન્ય નથી. રાહુલ ગાંધી સહિત વિપક્ષના ૧૨ નેતાઓના પ્રતિનિધિમંડળને શ્રીનગર એરપોર્ટ પર ઊતરતાં જ રોકી દેવાયાં. તેમને બીજી ફ્લાઇટથી દિલ્હી પાછા મોકલવા સુધી એરપોર્ટ પર જ રાહ જોવી પડી. તેઓ સાંજે ૬.૪૫ વાગ્યે દિલ્હી પરત આવ્યાં.
રાજ્યપાલે કહ્યું હતું કે રાહુલ નકલી સમાચારો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સ્થિતિનું રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યપાલે ૧૨ ઓગસ્ટે કહ્યું હતું કે તેઓ રાહુલ માટે એક વિમાન મોકલશે, જેથી તે ખુદ જોઇ શકે કે હકીકત શું છે. તેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે તેમને વિમાનની જરૂર નથી. માત્ર યાત્રા કરવા અને લોકોને મળવાની અનુમતિ મળવી જોઇએ.