કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મહામહીમ દ્રૌપદી મુર્મૂૂ વિશે કરેલી ટિપ્પણીને લઈને હવે લેખિતમાં માફી માગી છે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની કહેતા હોબાળો થયો હતો
સંસદમાં ભાજપ તરફથી કોંગ્રેસ પર આકરા પ્રહારો થયા હતા
ભારે હોબાળો થતાં હવે અધીર રંજન ચૌધરીએ લેખિતમાં માફી માગી
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મહામહીમ દ્રૌપદી મુર્મૂૂ વિશે કરેલી ટિપ્પણીને લઈને હવે લેખિતમાં માફી માગી છે.કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, હું આપને વિશ્વાસ અપાવા માગુ છુ કે, ત્યારે મારી જીભ લપસી ગઈ હતી. હું માફી માગુ છું અને આપને આ આ માફી સ્વિકાર કરવા માટે અનુરોધ કરુ છું.
#WATCH | Delhi: I am waiting for BJP to term me terrorist & arrest me under UAPA.They want to become champions of tribals, but hide how murders are happening. Laws brought under Sonia Gandhi are being changed. They are working against tribals," says Cong MP Adhir Ranjan Chowdhury pic.twitter.com/VXG3OSXVA3
લોકસભામાં કોંગ્રેસ નેતા સદન અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને પોતાના નિવેદન પર માફી માગી છે. તેમણે લખ્યું છે કે, જીભ લપસી જવાના કારણે તેમણે રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો હતો.તેમણે કહ્યું કે, હુ આના માટે દિલગીર છું અને તેના માટે માફી માગુ છું.
સંસદમાં ભારે હોબાળો
ચૌધરીએ બુધવારે મીડિયા સાથે વાતચીતમાં રાષ્ટ્રપતિ માટે રાષ્ટ્રપત્ની શબ્દનો ઉપયોગ કર્યો હતો. ચૌધરીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે, ચૂકવશ તેમના મોમાંથી આ શબ્દ નિકળી ગયો હતો. તો વળી ભાજપે તેને કોંગ્રેસ તરફથી જાણી જોઈને રાષ્ટ્રપતિને અપમાન કર્યું હોવાનું કહી રહ્યા હતા. ભાજપે તેના માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેના માટે દેશ તથા રાષ્ટ્રપતિ પાસે માફી માગવાની વાત કહી હતી.
તેને લઈને કાલે સંસદમાં ભારે હોબાળો થયો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે, સોનિયા ગાંધીએ તેમના નેતાઓને ધમકાવ્યા છે. તો વળી કોંગ્રેસે આ દાવો ફગાવી દેતા સોનિયા ગાંધીને ઘેરવાનો અને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો.
સોનિયા ગાંધીએ ગુરૂવારે જ કહ્યું હતું કે, અધીર રંજન ચૌધરીએ પોતાના નિવેદનને લઈને પહેલાથી ખેદ વ્યક્ત કર્યો છે.
વિવાદોની વચ્ચે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. ઈરાનીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજી સાથે મુલાકાત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ઈરાનીએ ગુરૂવારે સંસદમાં અધીર રંજના નિવેદન પર ભારે હોબાળો મચાવ્યો હતો.