કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ એક ટ્વીટથી વિવાદ ઉભો કરી દીધો છે.
આજે દુનિયાભરમાં ઉજવવામાં આવી રહ્યો છે ઈન્ટરનેશનલ યોગ દિવસ
અભિષેક મનુ સિંધવીએ એક ટ્વીટ કરીને વિવાદ ઉભો કર્યો
બાબા રામદેવે આપ્યો જડબાતોડ જવાબ
દુનિયાભરમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ અલગ અલગ જગ્યાઓ પર કોરોના નિયમોનું પાલન કરતા યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ એક ટ્વીટ કરીને વિવાદ ઉભો કર્યો છે. અભિષેક મનુ સિંધવીએ યોદને લઈને ॐ અને અલ્લાહનો ઉલ્લેખ કર્યો છે. તો યોગગુરુ બાબા રામદેવે તેમને જવાબ આપતા કહ્યું કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે.
અભિષેક મનુ સિંધવીએ ટ્વીટ કર્યું
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ ટ્વીટ કરીને કહ્યું કે, "ॐના ઉચ્ચારણથી ન તો યોગ વધારે શક્તિશાળી થાય છે અને ન અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઓછી થાય છે."
બાબા રામદેવે આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ આ ટ્વીટને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર એક નવો વિવાદ ઉભો કરી દીધો છેય સિંધવીના ટ્વીટને લઈને એક ચેનલ સાથે વાતચીત કરતા યોગ ગુરુ બાબા રામદેવે પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું છે કે ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. તેમણે કહ્યું કે અલ્લાહ, ભગવાન, ખુદા બધા એક જ છે. એવામાં ॐ બોલવામાં મુશ્કેલી શું છે? આપણે કોઈને ખુદા બોલવાનો ઈનકાર નથી કરી રહ્યા. રામદેવે કહ્યું કે આ બધાએ પણ યોગ કરવો જોઈએ. પછી તેમને એક જ પરમાત્મા દેખાશે.