ગાંધીનગરઃ કોંગ્રેસે ગુજરાતમાં શક્તિ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો શક્તિ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેના પગલે હવે કાર્યકર્તાઓ પોતાનો અવાજ હાઈકમાન્ડ સુધી પહોંચાડી શકશે. ઉપરાંત પક્ષના નેતૃત્વ વિચારધારા અને સંગઠન વચ્ચે સેતુ પણ સધાશે.
આ અંગે વાત કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે કાર્યકરોનો અવ્જાજ સાંભળીને નિર્ણય થાય તે માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. દરેક બુથનો કાર્યકર હાઈકમાન્ડ સાથે સીધો સંપર્ક કરી શકશે.
તો ગુજરાત માટે અલગથી નંબર ફાળવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી કાર્યકર સીધા રાહુલ ગાંધી સાથે જોડાઈ શકશે. જેના માટે દરેક બુથ પર સક્રિય કાર્યકરો રજીસ્ટ્રેશન કરશે.
કાર્યકરોના પ્રશ્નો અને રજૂઆત સીધી હાઈકમાન્ડ સુધી પહોંચાડાશે. કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકો પણ આ પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે.
કાર્યકરો અને નેતૃત્વ વચ્ચે વિચારની પણ આપ લે આ પ્રોજેક્ટથી થશે. શક્તિ પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશનનું વેરિફિકેશન કરવા માટે તાલુકા કક્ષાએ પ્રોપર્ટી કોર્ડિનેટરની પણ નિમણૂક કરવામાં આવશે.