લલિત વસોયાએ લોકસભાની ચૂંટણી મુદ્દે મોટુ નિવેદન અપ્યું છે. લલિત વસોયાએ કહ્યું છે કે, "જો રાજકોટ બેઠક પરથી નરેશભાઈના દીકરા લડે તો હું પોરબંદર બેઠક છોડી દઈશ." લલિત વસોયાનો તર્ક છે કે જો રાજકોટ બેઠક પરથી લેઉવા પટેલ લડે તો પોરબંદર બંદર બેઠક પરથી કડવા પાટીદારને તક આપવી જોઈએ. આ માટે વસોયાએ હાઈકમાન્ડને પોતાની લાગણી જણાવી દીધી છે. સાથે જ ખાતરી આપી છે કે જો પોરબંદર બેઠક પરથી કડવા પાટીદાર ઉમેદવાર લડશે તો તેને પૂરેપુરૂ સમર્થન હશે.
ઉલ્લેખનીય છે કે, પોરબંદર બેઠક પરથી ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનું નામ લગભગ નિશ્ચિત છે. જો કે, સત્તાવર જાહેરાત હજુ બાકી છે. તો બીજી તરફ રાજકોટ બેઠક પરથી ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાનું નામ સૌથી આગળ છે. કગથરા કડવા પાટીદારના અગ્રણી છે. .જે અગાઉ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ માટે મહેનત કરવા તૈયાર થયા હતા. .તો નરેશ પટેલના પુત્ર શિવરાજે અગાઉ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ઉમેદવાર મિતુલ દોંગા માટે મત માગ્યા હતા.
જો કે, શિવરાજ રાજકારણ સાથે કોઈ સંબંધ ન હોવાની વાત પણ જણાવી ચૂકયા છે. જેથી હજુ નિશ્ચિત નથી કે શિવરાજ લોકસભાની ચૂંટણી લડવા તૈયાર થાય છે કે કેમ? આમ, હાલ તો જો અને તો ની સ્થિતિ છે. પરંતું જો શિવરાજ ચૂંટણી લડવા માટે રાજી થાય તો આગામી સમયમાં ગુજરાતનું રાજકારણ વધુ રસપ્રદ બને તેવી શક્યતાઓ છે.