પીએમ મોદીએ આજે આસામના કરીમગંજમાં ચૂંટણીની જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ પર ગાજ્યાં પીએમ મોદી
કોંગ્રેસ એટલી નબળી પડી ગઈ છે કે કોઈ પણ હદ સુધી જઈ શકે છે : પીએમ મોદી
બંગાળમાં જેની સાથે, કેરળમાં એની જ વિરુદ્ધ કેમ? : વડાપ્રધાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકારો અને તેમની નીતિઓએ સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક અને રાજકીય દરેક રીતે આસામનું નુકસાન કર્યું છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ એટલી નબળી પડી ગઈ છે કે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને કોઈની સાથે હાથ મિલાવી શકે છે. આ વિચિત્ર પરિસ્થિતિ આજે સમગ્ર દેશની નજર છે. કેરળમાં ડાબેરીઓ સાથે તેઓ પશ્ચિમ બંગાળમાં લાલ સલામ કરી રહ્યા છે અને કેરળમાં તેની સાથે નૂરા- કુશ્તી ચાલી રહી છે.
કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ સામસામે છે
મહત્વનું છે કે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું UDF અને સામ્યવાદી પક્ષોના વડપણ વાળું LDF સામસામે ચૂંટણી લડી રહ્યા છે, અને બંગાળમાં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેને લઈને પીએમ મોદીએ આજે આસામની જનસભામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અહીં આસામમાં જુઓ, કોંગ્રેસ કોના ભરોસે મેદાનમાં છે? જેની સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ દાયકાઓથી લડી રહ્યા છે, લડતા આવ્યા છે તે જ કોંગ્રેસના હાથ આજે તાળાં ચાવીને લઇએં ફરી રહ્યા છે.
આસામમાં પીએમ મોદીએ ગણાવ્યા વિકાસના કામ
પીએમ મોદીએ કહ્યું કે વર્ષોથી અટવાયેલા ભારતના સૌથી લાંબા પુલ- ભૂપેન હજારિકા સેતુનું નિર્માણ કોણે પૂર્ણ કર્યું? ભાજપની જ સરકારેને જ ને. આસામને મેઘાલય સાથે જોડવા માટે આનાથી મોટું ધુબરી-ફુલબારી બ્રિજ કોણ બનાવી રહ્યું છે? ભાજપ સરકાર. પીએમ મોદીએ કહ્યું કે આસામને દેશનો સૌથી લાંબો નદી રોપ-વે કોણે આપ્યો? ભાજપ સરકાર. ભારતના સૌથી લાંબા રેલ્વે-માર્ગ બ્રિજ - બોગીબીલ બ્રિજનું કામ કોણે પૂર્ણ કર્યું, જે વર્ષોથી અધૂરું છે? ભાજપ સરકાર.
વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આજે આસામમાં શાંતિ છે, વિશ્વાસ છે, વિકાસની લહેર ચાલી રહી છે, આજે આસામમાં હવે માત્ર એક જ મુદ્દો છે, વિકાસ, ઝડપી વિકાસ, તેજ વિકાસ અને નિરંતર વિકાસ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ફિઝિકલ કનેક્ટિવિટી જ નહીં, પણ સંવાદિતા, સંસ્કૃતિની કનેક્ટિવિટીને પણ મજબૂત બનાવવામાં આવી છે. ભુવન તીર્થ શિવ મંદિર, કસાકાંતી દેવી મંદિર, સિદ્ધેશ્વર શિવબારી, શોન બીલ, 1857 ની ક્રાંતિનું યુદ્ધ સ્મારક આ બધુ બરાક વેલીની પહેચાન છે.