મધ્ય પ્રદેશના ભીંડમાં કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનું એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું છે. આ પોસ્ટરમાં પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાની તસવીર પણ છે. એક ન્યુઝ એજન્સીમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ભાજપના સ્થાનિક નેતા દ્વારા જ્યોતિરાદિત્ય સિંધિયાનું કલમ 370 ને સમર્થન આપવા માટે આ પોસ્ટર મુકવામાં આવ્યું છે.
કોંગ્રેસી નેતાનું પોસ્ટર વાયરલ
પોસ્ટરમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જોવા મળ્યા PM મોદી અને શાહ સાથે
આ પોસ્ટર એવા સમયે આવ્યું છે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગીના સમાચારો ચર્ચામાં આવ્યા છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી સમયે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાને મુખ્યમંત્રી પદના દાવેદાર માનતા હતા. પરંતુ અનુભવી કમલનાથે તમામ સમીકરણો લાગુ કરીને મુખ્યમંત્રી બનવામાં સફળતા મળી હતી. તે સમયે સિંધિયાના સમર્થકોએ કેટલાક ધારાસભ્યો સહિત જાહેરમાં નારાજગી પણ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી હોવા છતાં કમલનાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી છોડી નથી.
કમલનાથે જ્યોતિરાદિત્ય સાથેના મતભેદો નકાર્યા
Madhya Pradesh: Poster of Congress leader Jyotiraditya Scindia along with Prime Minister Narendra Modi and Home Minister Amit Shah, put up in Bhind. The poster was put up by BJP Bhind District Coordinator after Scindia's support for abrogation of Article370. pic.twitter.com/gyr2cjjpgY
સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યોતિરાદિત્ય સિંધિયાની નજર હવે પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતા પર છે અને તેને લઇને ભારે હંગામો અને નિવેદનબાદી ચાલી રહી છે. જોકે, સીએમ કમલનાથે સિંધિયા સાથેના કોઈપણ મતભેદને નકારી કાઢતા કહ્યું છે કે, અન્ય રાજ્યોના સંગઠનમાં આવું થઈ રહ્યું છે.
કોંગ્રેસની હાર બાદ સિંધિયાએ મહાસચિવ પદેથી આપ્યું રાજીનામું
તેમણે કહ્યું કે હાઇ કમાન્ડે વહેલી તકે નિર્ણય લેવો જોઇએ કે પ્રદેશ પ્રમુખ કોણ બનશે કારણ કે તે બંને જવાબદારીઓનો તેઓ પોતે ભાર અનુભવી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને લોકસભાની ચૂંટણી દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને તે સમયે તે પાર્ટીના મહાસચિવ પણ હતા. પરંતુ કોંગ્રેસની કારમી હાર બાદ તેમણે મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું હતું.