કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન અને કોંગ્રેસના સંયુક્ત સચિવ, ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI)ના રાષ્ટ્રીય પ્રભારી રૂચિ ગુપ્તાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ નવા પ્રમુખની પસંદગી સહિતના ઘણા મહત્વના મુદ્દાઓ પર મોટી બેઠક યોજી રહી છે.
NSUIના રાષ્ટ્રીય પ્રભારી રૂચિ ગુપ્તાનું રાજીનામું
કોંગ્રેસને વધુ એક મોટો ફટકો
સંગઠનાત્મક ફેરફારોમાં વિલંબ કરવાનો પક્ષ પર લગાવ્યો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, ગુપ્તા રાહુલ ગાંધીની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. વોટ્સએપ પરથી મોકલેલા રાજીનામાના પત્રમાં ગુપ્તાએ સંગઠનાત્મક ફેરફારોમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે.
રૂચી ગુપ્તાના રાજીનામાથી કોંગ્રેસને ફટકો
રૂચી ગુપ્તાના રાજીનામાથી કોંગ્રેસના અભિયાનને આંચકો લાગ્યો છે જેમાં સોનિયા ગાંધી નારાજ નેતાઓને મળીને પાર્ટીમાં આંતરિક મતભેદો હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, પક્ષની અંદર સંસ્થાકીય ચૂંટણીઓ અંગે ચર્ચાઓ થઈ રહી છે.
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો આભાર
I regret to announce that I have resigned. I am grateful to Rahul ji and Sonia ji for giving me this opportunity.
ઉલ્લેખનીય છે કે, રૂચી ગુપ્તા NSUIની મુખ્ય સચિવ હતી. રિપોર્ટ અનુસાર, તેમણે એક વ્હોટસેપ મેસેજમાં કહ્યું હતું કે, સંઠનાત્મક ફેરફાર લાવવામાં મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા વારંવાર વિલંબ કરવાથી પાર્ટીને નુકસાન પહોંચી રહ્યું છે. મને દુખ સાથે આ જાહેરાત કરવી પડી રહી છે કે મેં સંગઠનમાંથી રાજીનામું આપ્યું છે. મને સેવા કરવાની તક આપવા બદલ રાહુલ જી અને સોનિયાજીનો આભાર .
રાહુલ પક્ષનું નેતૃત્વ કરી શકે છે : રૂચી ગુપ્તા
પદ છોડતા પહેલા ગુપ્તાએ 'ધ હિન્દુ' માં એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે, "કોંગ્રેસ પક્ષના સંગઠનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરે, જમીની સ્તર સાથેના જોડાણ અને" ઉપરથી નીચે સુધી મજબૂત નેતૃત્વ સ્થાપિત કરે " ગુપ્તાએ લખ્યું છે કે માત્ર રાહુલ ગાંધી જ કોંગ્રેસનું સંચાલન કરી શકે છે અને તેનું નેતૃત્વ કરી શકે છે.