ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અનેક ધુઅંધારોને પણ મતદારોએ ન સ્વીકાર્યા પરિણામે નેતાઓને હારનો સ્વાદ ચાખવામાં આવ્યો ત્યારે ચૂંટણીના ખરાબ પરિણામોનું કારણ જાણવા કોંગ્રેસ દ્વારા સત્ય શોધક સમિતિ બનાવાઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસ માટે માઠા પરિણામો આવ્યા છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ દ્વારા મંથન હાથ ધરવામાં આવ્યું છે જેમાં કંગાળ પરિણામ પાછળના કારણો જાણવા મથામણ કરવામાં આવી રહી છે.આ અંગે પરિણામોના કારણોની સાતત્યતા ચકાસવા કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.
નીતિન રાઉતની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસે 3 સભ્યોની સત્ય શોધક સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિ દ્વારા ચૂંટણી પરિણામોના કારણોની સાતત્યતા અંગે ચકાસણી કરવામાં આવશે. જેમાં નીતિન રાઉતની અધ્યક્ષતામાં રિપોર્ટ બનાવવામાં આવશે. વધુમાં આ સમિતિમાં શકીલ અહેમદ ખાન અને સપ્તગીરી શંકર ઉલકાની પણ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમા ખરાબ પરિણામોના કારણો જાણવામાં આવશે અને ત્યારબાદ ભવિષ્યમાં તેનું પુનરાવર્ણ ન થાય તે માટે તેને નિવારણ પર ભાર મુકવામાં આવશે.આ તમામ બાબતોનો સર્વે કરવામાં આવશે.
કમિટીનો રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાન્ડને સોંપવામાં આવશે
સત્ય શોધક સમિતિના સભ્યો દ્વારા ઊંડુ નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને એક રિપોર્ટ બનાવવામાં આવશે. ત્યારબાદ કમિટીનો રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાન્ડને સોંપવામાં આવશે અને તેના તારણોને લઈને આગમી સમયમાં નિર્ણયો લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસએ સપને પણ ન વિચાર્યું હોય તેવું ખરાબ પરિણામ આવ્યું છે. ત્યારે હવે 2024 સંસદની ચૂંટણીને લઈને કોંગ્રેસ ફરીથી એક્ટિવ મોડમાં આવી છે અને તૃટીઓને દૂર કરવા કોંગ્રેસ સતર્ક મોડમાં આવી છે.