કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠકમાં કહ્યું હતું કે હું જ ફૂલ ટાઈમ અધ્યક્ષ છું.
કોંગ્રેસ અધ્યક્ષને લઇ મોટા સમાચાર
કોંગ્રેસને નવા અધ્યક્ષ મળતા હજુ 1 વર્ષ લાગશે
ઓક્ટોબર 2022માં મળશે કોંગ્રેસને નવા અધ્યક્ષ
બેઠકમાં સોનિયા ગાંધીનું આક્રમક વલણ
કોંગ્રસ પાર્ટીની અંદર છેલ્લા ઘણા સમયથી નેતાઓની અંદરો અંદર જ ભારે ઘમાસાણ ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં 23 નેતાઓનો એક વર્ગ છે જે વારંવાર કોંગ્રેસ હાઇકમાંડ સામે જ સવાલો ઉઠાવી રહ્યા હતા અને પાર્ટીની અંદર અધ્યક્ષ પદ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી હતી. એવામાં આજે CWCની બેઠક મળી હતી જેમા સોનિયા ગાંધીએ નામ લીધા વિના તમામ નેતાઓને કડક સંદેશ પાઠવી દીધો છે.
सहकारी संघवाद केवल एक नारा बनकर रह गया है और केंद्र गैर-भाजपाई शासित राज्यों को नुकसान में रखने का कोई मौका नहीं छोड़ती है।
બેઠકમાં સોનિયા ગાંધી બોલ્યા, "હું કોંગ્રેસ પાર્ટીની અધ્યક્ષ છું"
સોનિયા ગાંધીએ આજે બેઠકમાં કહ્યું કે હું જ પાર્ટીની ઓલટાઈમ અધ્યક્ષ છું. હું પાર્ટીના નેતાઓ સાથે ખુલ્લા મનથી વાત કરું છું અને મારી સાથે મીડિયાના માધ્યમથી વાત કરવાની જરૂર નથી. હું જાણું છું કે હું કાયમી અધ્યક્ષ નથી, કોરોના વાયરસનાં કારણે પાર્ટીમાં ચૂંટણી થઈ શકી નથી. હવે પાર્ટીનાં સંગઠનની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસમાં ઘણા નેતાઓ અસંતુષ્ટ હોવાની વાતો સામે આવી રહી છે. અસંતુષ્ટ નેતાઓનું સંગઠન G-23 પર પ્રહાર કરતાં હોય એ રીતે સોનિયા ગાંધીએ પોતાનું ભાષણ આપ્યુ હતું. હજુ થોડા દિવસ અગાઉ કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે કોંગ્રેસમાં કોણ નિર્ણયો લે છે એની તેમને પણ જાણ નથી.
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે પાર્ટીને ફરી બેઠી કરવાની છે અને આ માટે એકતા અને પક્ષના હિતોને સર્વોપરી રાખવા પડશે.
લખિમપુર ખીરી ઘટના મામલે તેમણે કહ્યું હતું કે લખિમપુર ખીરી ઘટના મામલે ભાજપે પોતાની માનસિકતા બતાવી દીધી છે. સાથે ખેડૂતોના આંદોલન મુદ્દે તેમનું વલણ પણ લોકો જોઈ જ રહ્યા છે.