કર્ણાટકના બેલાગવીમાં પીએમ કિસાન સન્માન નિધિનો 13મા હપ્તો જારી કરીને પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર ચાબખાં માર્યાં હતા.
કર્ણાટકના બેલાગવીમાં પીએમે જનસભાને સંબોધિત કરી
પીએમ કિસાન સન્માન નિધિનો 13મા હપ્તો જારી કર્યો
આ પ્રસંગે સભાને સંબોધતા કોંગ્રેસ પર કર્યાં પ્રહાર
કોંગ્રસે અધ્યક્ષ ખડગેનો ઉલ્લેખ કર્યો
PM મોદીએ સોમવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણીવાળા કર્ણાટકના બેલાગવીમાં જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કર્યું છે. ખડગે કર્ણાટકના છે. "મને મલ્લિકાર્જુન ખડગે માટે ખૂબ માન છે. કોંગ્રેસનું અધિવેશન ચાલી રહ્યું હતું. ખડગે સૌથી સિનિયર છે. તડકો હતો, પરંતુ ખડગેજીને તડકામાં છત્રીનું સૌભાગ્ય ન મળ્યું. છત્રી કોઈ બીજા માટે હતી. જેને જોઇને જનતા સમજી રહી છે કે કોના હાથમાં રિમોટ કંટ્રોલ છે. મોદીએ વધુમાં કહ્યું કે, "કોંગ્રેસ કર્ણાટકનું અપમાન કરે છે.
Congress leadership belonging to one family insulted party chief Kharge during its Raipur plenary: PM
કોઈ કટ-કમિશન વગર 13મા હપ્તાની રકમ જારી થઈ ગઈ-પીએમ
પીએમ કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો જારી કરતાં પીએમ મોદીએ કહ્યું કે આટલી મોટી રકમ પળવારમાં ટ્રાન્સફર થઈ ગઈ અને કોઈ વચેટિયા નથી, કટ કમિશન નથી, ભ્રષ્ટાચાર પણ નથી. જો કોંગ્રેસે 16 હજાર કરોડ રૂપિયાનો વિચાર કર્યો હોત તો 12-13 હજાર કરોડ રૂપિયા ક્યાંક ગાયબ થઈ જાત, પરંતુ આ મોદીની સરકાર છે. એ તારા માટે છે. પાઈ પાઈ તમારી છે.
#WATCH | Karnataka: Mallikarjun Kharge has served the public in whatever way possible...I was disheartened to see how the most senior leader, the president of Congress has been disrespected by them...The world knows who has the remote control: PM Narendra Modi in Belagavi pic.twitter.com/Du4ytHf57X
8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 16,800 કરોડ જમા
મોદીએ કર્ણાટકના બેલાગવીમાં પીએમ કિસાન સન્માન નિધિના 13 મા હપ્તાના ભાગરૂપે 8 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતાઓમાં 16,800 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે. મોદીએ જણાવ્યું કે બેલાગવીની ભૂમિ પર આવવું એ કોઈ તીર્થયાત્રાથી ઓછું નથી. આજે અહીંથી પીએમ કિસાન સન્માન નિધિનો વધુ એક હપ્તો મોકલવામાં આવ્યો છે. આ જ ક્લિક પર દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા પહોંચી ગયા છે. દુનિયાને પણ આ વિશે આશ્ચર્ય થાય છે.
#WATCH | Karnataka: Congress thinks until Modi is alive their motives won't survive and that is why they all are saying "mar ja Modi, mar ja Modi..." and some are saying "Modi teri kabad khudegi" but the country is saying "Modi tera Kamal khilega": PM Narendra Modi in Belagavi pic.twitter.com/KQmBhhkZzA
નાના ખેડૂતો ભાજપ સરકારની પ્રાથમિકતા
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજનું બદલાતું ભારત એક પછી એક વિકાસ માટે કામ કરી રહ્યું છે, દરેક વંચિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે. આપણા દેશમાં દાયકાઓ સુધી નાના ખેડૂતોની અવગણના કરવામાં આવતી હતી, હવે આ નાના ખેડૂતો ભાજપ સરકારની પ્રાથમિકતામાં છે. આ નાના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં અઢી લાખ કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે અને 50,000 કરોડ રૂપિયાથી વધુ રકમ આપણા ખેડૂત માતા-બહેનોના ખાતામાં જમા થઈ ચૂકી છે.