ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું મૂકી દીધું હતું
પ્રદેશ કોંગ્રેસ સંગઠન માળખા રચના મુદ્દે કચવાટ
પ્રદેશ માળખાની જાહેરાત ન થતા ચર્ચા
સંગઠન માળખાને લઇ કાર્યકર્તામાં ચિંતા
ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે, માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સંગઠન માળખાની રચના કરી શકાય છે. પરંતુ હવે પ્રદેશ સંગઠન માળખાની રચના મુદ્દે કોંગ્રેસમાં કચવાટ શરૂ થયો છે.
પ્રદેશ કોંગ્રેસ સંગઠન માળખા રચના મુદ્દે શરૂ થયો કચવાટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું મૂકી દીધું હતું. જોકે તે બાદ દિલ્હી હાઇકમાન્ડ કે પછી ગુજરાત કોંગ્રેસ ક્યાંય પ્રદેશ કોંગ્રેસ સંગઠન માળખાની રચના મુદ્દે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રદેશનું માળખું રચાયું નથી જેના કારણે કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે તેની અસર આગામી ચૂંટણી પર પડશે.
સંગઠનની રચના ક્યારે થશે તેને લઇ કાર્યકર્તાઓ દ્વીધામાં
નોંધનીય છે કે કોંગ્રેસમાં દિલ્હીમાં પણ આ જ હાલ છે. છેલ્લા કેટલાય મહિનાઓથી કોંગ્રેસ પાસે કોઈ ફૂલ ટાઈમ અધ્યક્ષ જ નથી, સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે જ્યારે કોંગ્રેસમાં હવે નવા અધ્યક્ષ ક્યારે મળશે તેના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનના માળખાને લઈને ઘણા બધા કાર્યકર્તાઓ દ્વિધામાં મૂકાયા છે.
વહેલી તકે જાહેરાત ન થાય તો અલગ-અલગ જૂથો ઉભા થશે
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસમાં અંદરોઅંદર પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષ નેતા બનવા માટે આંતરિક ખેંચતાણ છે. અને જૉ વહેલી તકે જાહેરાત ન થાય તો અલગ અલગ જૂથ ઊભા થઈ જવાની પણ સંભાવનાઓ છે.