પાકવીમો. એક એવો પ્રશ્ન જેનો નથી કેટલાય વર્ષની ઉકેલ આવતો કે ન કે કોઈ નકકર નિરાકરણ આવતું. સરકાર મોટી મોટી જાહેરાત તો કરે છે પરંતુ શું ખરેખર જરૂરિયાતમંદ ખેડૂતોને પાકવીમાનો લાભ મળે છે ખરો? દર વર્ષે પાક વીમાને લઈને સરકાર સવાલોમાં જ રહે છે. પાકવીમાની જાહેરાત થાય તો વીમા કંપનીઓ ક્યારેક આડોળાઈ કરે છે. તો ક્યારેક જરૂરિયાત મંદ ખેડૂતો સાથે અન્યાય થઈ જાય છે. તો ક્યારેક સર્વેમાં ઘોટાડો થાય છે. જો કે આ તમામ બાબતો વચ્ચે હવે પાકવીમાને લઈને કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે.
આરોપ ગંભીર છે. એટલા માટે કેમ કે કોંગ્રેસના આરોપ મુજબ પાકવીમામાં અંદાજે 25 થી 50 હજાર કરોડનું કૌભાંડ થયું છે..કોંગ્રેસનું કહેવું છે કે બે ગામમાં 90 ટકા ખેડૂતોને વીમો નથી મળ્યો. અને આ તો માત્ર બે ગામની જ વાત થઈ આવા તો આખાય રાજ્યમાં કેટલાય ખેડૂતો હશે જેમને સહાય મળવી જરૂરી હતી પરંતુ મળી નથી. ત્યારે અહીં સવાલ એ છે કે શું કોંગ્રેસે કરેલા દાવા સાચા છે? શું બે ગામના આધારે કોંગ્રેસ જે દાવો કરે છે તે કેટલા અંશે યોગ્ય છે? પાકવીમાના ગણિતમા આખરે સાચુ કોણ અને ખોટુ કોણ ? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન