રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજીએફ) અંગે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોનિયા ગાંધીને 10 પ્રશ્નો પૂછ્યા છે, જેના પર કોંગ્રેસ પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે અને ભાજપ પર 10 પ્રશ્નો પુછ્યા છે. ત્યારે ભાજપ અને આરએસએસને વિદેશી ભંડોળ પર સવાલો ઉભા થયા છે.
કોંગ્રેસે પૂછ્યું- અમિત શાહે ધારાસભ્યો અને સાંસદોને ચીનમાં કેમ મોકલ્યા
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી અને ત્યારબાદ વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી દર વખતે શા માટે ચીન ગયા?
ભાજપ અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના વચ્ચે શું સંબંધ છે?
કોંગ્રેસ પાર્ટીએ ચીનના શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીસીપી) સાથે ભાજપ અને આરએસએસના સંબંધો વિશે પણ પ્રશ્નો પૂછ્યા છે. શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા અને પૂછ્યું હતું કે ચીનથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા કેમ આપવામાં આવ્યા હતા?
જે.પી.નડ્ડાએ પૂછ્યું કે પી.એન.બી. બેંકના કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી પાસેથી નાણાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં કેમ લેવામાં આવ્યા અને મેહુલ ચોક્સીને લોન આપવામાં કેમ મદદ કરવામાં આવી? હવે નડ્ડાના આ જ 10 પ્રશ્નો પર કોંગ્રેસે ભાજપ પર 10 પ્રશ્નો પુછ્યા છે.
કોંગ્રેસના ભાજપને સવાલ
ભાજપ અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના વચ્ચે શું સંબંધ છે?
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના આમંત્રણ પર જાન્યુઆરી 2009માં આરએસએસ કેમ ચીન ગયું હતું?
CCPના આમંત્રણ પર તત્કાલીન ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી કેમ ચીનના પ્રવાસે ગયા હતા?
નવેમ્બર 2014માં CCPના 'ધ પાર્ટી સ્કૂલ'માં સ્ટડી માટે તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહે ધારાસભ્યો અને સાંસદોને કેમ ચીન મોકલ્યા હતા?
નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ચાર વખત અને પીએમ બન્યા બાદ 5 વખત ચીન કેમ ગયા?
શું રાજીવ ગાંધી ફાઉન્ડેશનની જેમ ભાજપ આરએસએસના દાતાઓનું લિસ્ટ અને સ્ત્રોત વિશે જાણકારી સાર્વજનિક કરે શકે છે?
રાજીવ ગાંધી ફાઉન્ડેશનની જેમ ભાજપ વિવેકાનંદ ફાઉન્ડેશન, ઇન્ડિયા ફાઉન્ડેશનના દાતાઓનું લિસ્ટ સાર્વજનિક કરી શકે છ?
શું ભાજપ એ દાતાઓના નામ સાર્વજનિક કરી શકે છે, જેઓએ તેમને ચૂંટણી બોન્ડ દ્વારા કરોડો રૂપિયા આપ્યા?
શું ભાજપ અને આરએસએસએ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, ફંડ, કંપની અને સંસ્થાઓ પાસેથી ફંડ લીધું છે?