ભાજપ દ્વારા કાશ્મીર મુદ્દા પર રાહુલ ગાંધી પર હુમલો કર્યા બાદ કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા (Randeep Surjewala)એ કહ્યું કે લાગે છે કે જાવડેકર પોતાનું માનસિક સંતુલન ખોઇ બેઠા છે. સુરજેવાલે કહ્યું કે બીજેપીનું રાજનૈતિક સ્તર ઘટતુ જઇ રહ્યું છે.
સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીર મામલો ભારતનો આંતરીક મામલો છે. તેમા કોઇપણ દેશના દખલની જરૂર નથી. તેની સાથે જ સુરજેવાલાએ પાકિસ્તાનને પણ આડે હાથે લીધુ. એમણે કહ્યું કે અમે પાકિસ્તાનને ચેતવણી આપીએ છીએ કે તે પોતાની હરકતો સીધી રાખે. આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશ પાકિસ્તાન અમારા મામલામાં દખલ આપવાનું દુ:સાહસ ન કરે.
સુરજેવાલાએ કહ્યું કે પ્રકાશ જાવડેકર હવે 'મિસ ઇન્ફોર્મેશન મિનિસ્ટર' બનીને રહી ગયા છે. જેમનુ કામ લોકોને ખોટી સૂચના આપવાનું બની ગયું છે. એમણે કહ્યું કે પાકિસ્તાનમાં દરેક આતંકી સંગઠનનો બેઝ છે. જમ્મૂ કાશ્મીર પર સવાલ ઉઠાવતા પહેલા પાકિસ્તાન પહેલા પોતાને ત્યાં જુએ. તે પોતાને ત્યાં બલુચિસ્તાનમાં શુ કરી રહ્યું છે? એમણે આરોપ લગાવ્યો કે પ્રકાશ જાવડેકર કાશ્મીર પર રાજનીતિ કરી રહ્યા છે. બીજેપીએ ખુદની અંદર જોવું જોઇએ. એમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતનું કાશ્મીર અભિન્ન અંગ હતું છે અને રહેશે.
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એમ પણ કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં જે હિંસા થઇ રહી છે તેનો જનક પાકિસ્તાન છે. કેમકે ત્યાંથી આતંકી સંગઠનને પોષવામાં આવે છે. દુર્ભાગ્યથી બીજેપીને તેના પર પણ વાંધો છે. બીજેપી શું એમ પણ નથી ઇચ્છતી કે તે રાહુલ ગાંધીના આ નિવેદનનું સમર્થન કરે, જેમા રાહુલ ગાંધીએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર દખલ ન દે. એમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે પાકિસ્તાને પીઓકે, ગિલગિટ અને તેના અન્ય ભાગમાં થઇ રહેલા માનવાધિકારોના હનન પર જવાબ આપવો જોઇએ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તરફથી અમે કહીએ છીએ કે જે રીતે બલુચિસ્થાનમાં માનવાધિકારીનું ઉલ્લંઘન થઇ રહ્યું છે તે શરમજનક છે. બીજેપીએ છીછરી રાજનીતિ છોડી દેવી જોઇએ. અમે માત્ર એટલુ કહેવા માંગીએ છીએ કે, કાશ્મીર આપણું હતું છે અને રહેશે. દુનિયામાં જેટલા પણ આંતકી સંગઠન છે તેની જનની પાકિસ્તાન છે. આ આંતકી સંગઠનોને પાકિસ્તાનની સેના અને ત્યાંની સરકાર ઉછેરે છે. અમે પાકિસ્તાનને ચેતવણી આપીએ છીએ કે પાકિસ્તાન ભારતના આંતરિક મામલામાં દખલ આપવાનું દુસાહસ ન કરે.
આ પહેલા ભાજપે કાશ્મીરના મુદ્દાને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો બોલ્યા અને કહ્યું કે એમણે આખા દેશને શરમજનક સ્થિતિમાં મુક્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ''કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ જે રીતે જમ્મૂ કાશ્મીરને લઇને ટિપ્પણી કરી છે, આપણે સૌ કોઇ જાણીએ છીએ. એમની ટિપ્પણીઓને પાકિસ્તાને ઉપયોગ કર્યો.
સંયુક્ત રાષ્ટ્રને આપવામાં આવેલી પાકિસ્તાન દ્વારા અરજીમાં રાહુલ ગાંધીની ટિપ્પણીઓનો ઉલ્લેખ છે. પાકિસ્તાને અરજીમાં કહ્યું છે કે (કાશ્મીરમાં થઇ રહેલી) હિંસાની ઘટનાઓને મુખ્યધારાના રાહુલ ગાંધી જેવા નેતાઓેએ કબૂલ કર્યો છે. પાકિસ્તાનની યૂએનને આપવામાં આવેલી અરજીમાં રાહુલ ગાંધીનું નામ છે. તે વોટબેન્કની રાજનીતિ કરી રહ્યા છે.