ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભઆ ચૂંટણીમાં ભૂંડી હારનો સામનો કરનારી કોંગ્રેસની ટોપ સમિતિની રવિવારે સાંજે ચાર કલાકની આસપાસ એક મહત્વની બેઠક મળવાની છે.
પાંચ રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર
આંતરિક ડખ્ખા અને જૂથવાદમાં ફસાઈ પાર્ટી
એક પછી એક રાજ્ય ખોઈ રહી છે પાર્ટી
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભઆ ચૂંટણીમાં ભૂંડી હારનો સામનો કરનારી કોંગ્રેસની ટોપ સમિતિની રવિવારે સાંજે ચાર કલાકની આસપાસ એક મહત્વની બેઠક મળવાની છે. CWC ની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં યોજાશે. પાંચ રાજ્યોમાં કોંગ્રેસની ભૂંડી હાર જોતા આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે. સૂત્રોએ શનિવારે કહ્યું કે, કોંગ્રેસમાં સાંગઠનિક ચૂંટણી સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત છે. પણ નેતૃત્વને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે માનવામાં આવે છે કે, તેને સમય પહેલા કરાવી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના ઘરે થયેલી આ બેઠકમાં મનીષ તિવારી અને અન્ય નેતા શામેલ હતા. ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા અને મણિપુરમાં કોંગ્રેંસ કંઈ ખાસ કમાલ કરી શકી નથી. તો વળી પંજાબમાં તો સત્તા ગુમાવાનો વારો આવ્યો છે.
રાહુલ ગાંધી યુપીથી દૂર રહ્યા
ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી, પણ કોંગ્રેસ ત્યાં ફક્ત બે સીટો જીતી શકી હતી. રાહુલ ગાંધીએ સમગ્ર યુપીમાં પ્રચારમાં જરાંયે રસ દાખવ્યો નહોતો. તેમને રાજ્યમાં ફક્ત 2.4 ટકા વોટ જ મળ્યા હતા. યુપીની 380 સીટો પર કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા હતા, જ્યાં તેમની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ છે.
નેતાઓમાં ગણગણાટ શરૂ થયો
કોંગ્રેસની હાર બાદ સાંસદ શશિ થરુર સહિત કેટલાય નેતાઓ પહેલાથી ટોચ પર ફેરફાર કરવાની માગ કરી રહ્યા છે. જો કે, કર્ણાટકના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને ડીકે શિવકુમારે ગાંધી પરિવાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હાર બાદ યુપી કોંગ્રેસના પણ કેટલાય નેતાઓએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. તો વળી યુપી કોંગ્રેસે ઈલેક્ટ્રોનિક્સ મીડિયાના કોઓર્ડિનેટર જીશાન હૈદરે પાર્ટી નેતૃત્વ પર વાંધા જનક નિવેદન આપવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામા આવ્યા છે.
પાંચ રાજ્યોમાં કોંગ્રેસની ભૂંડી હાર
અહીં ઉલ્લેખનીય છે કે, પંજાબમાં જૂથબંધી અને આંતરિક ડખ્ખામાં ફસાયેલી કોંગ્રેસને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. આમ આદમી પાર્ટી ત્યાં 92 સીટો જીતીને મોટો ધમાકો કર્યો છે. કોંગ્રેસ ફક્ત 18 સીટો પર સમેટાઈ ગઈ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્દધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ખુદ ચૂંટણી હારી ગયા છે. યુપીમાં કોંગ્રેસ ફક્ત બે સીટો લાવી શકે છે. ઉત્તરાખંડમાં એક્ઝઇટમાં કોંગ્રેસ ભલે ટક્કર આપી હોય, પણ પરિણામમાં તેની અસર દેખાઈ નહીં. ગોવામાં પણ પાર્ટીની આવી જ હાલત હતી, તો વળી મણિપુરમાં પણ કોંગ્રેસ ફક્ત પાંચ સીટો પર અટકી ગઈ હતી.