ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ એક્શનમાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઇકમાન્ડ દ્વારા પરેશ ધાનાણીને પ્રદેશ અધ્યક્ષ પદ્દની કમાન સોંપાઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બદલાશે
OBC નેતા બની શકે કોંગ્રેસના અધ્યક્ષ
પરેશ ધાનાણી બની શકે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં પરેશ ધાનાણી સૌથી આગળ ચાલી રહ્યું છે.
ચૂંટણીમાં હાર બાદ હાઇકમાન્ડ એક્શનમાં
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા છે, તેમની સરકારના મંત્રીઓએ પણ કાર્યભાર સંભાળી લીધો છે. તો કોંગ્રેસ દ્વારા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા છે.
પરેશ ધાનાણી બની શકે છે પ્રદેશ અધ્યક્ષ
ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અમિત ચાવડાની નેતા વિપક્ષ તરીકે નિમણૂક બાદ અધ્યક્ષ બદલવાનું નક્કી માનવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ એક્શનમાં આવ્યું છે. વિપક્ષ નેતા OBC બનતા કોંગ્રેસ પાટીદાર ચહેરાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની રેસમાં પરેશ ધાનાણી સૌથી આગળ છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પરેશ ધાનાણીને પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપી શકે છે.
કોણ છે પરેશ ધાનાણી?
- પરેશ ધીરજલાલ ધાનાણીનો જન્મ 15 ઓગસ્ટ 1976ના રોજ અમરેલીમાં થયો હતો.
- તેમણે વર્ષ 2000માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.comની ડિગ્રી મેળવી હતી.
- લગ્નજીવન દરમિયાન તેમને સંસ્કૃતિ અને પ્રણાલી નામની બે પુત્રીઓ છે.
- પરેશ ધાનાણી ખેડૂત હોવાની સાથે સાથે પશુપાલનનો પણ ખૂબ સારો અનુભવ ધરાવે છે.
- પરેશ ધાનાણી જમીન સાથે જોડાયેલા કોંગ્રેસ ખેડૂત નેતાની છાપ ધરાવે છે.
- પરેશ ધાનાણી વિદ્યાર્થી કાળથી જ NSUI અને યુથ કોંગ્રેસમાં સક્રિય હતા.
- વર્ષ 2000માં ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે સમાજસેવા માટે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું.
- વર્ષ 2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે 4,000 મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને કારમી હાર આપી હતી
- 2017માં ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો.
- 2022માં અમરેલી બેઠક પરથી કોંગ્રેસ પક્ષના દિગ્ગજ ઉમેદવાર પરેશ ધાનાણીની હાર થઈ હતી.
- પરેશ ધાનાણીનો અમરેલીમાં એરપોર્ટ શરૂ કરાવવામાં પણ તેમનો સિંહફાળો રહેલો છે.