રાજ્યમાં યુવાઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ કોંગ્રેસ પ્રવક્તા નિદત્ત બારોટે આરોગ્ય મંત્રીને પત્ર લખી એસ આઈ ટી રચવાની માગ કરી છે
રાજ્યમાં યુવાઓમાં વધતા હાર્ટ એટેકને લઇ કોંગ્રેસે લખ્યો પત્ર
રાજ્યના આરોગ્ય મંત્રીને કોંગ્રેસ પ્રવક્તાએ લખ્યો પત્ર
કોંગ્રેસ પ્રવક્તા નિદત્ત બારોટે પત્ર લખી SITની રચના કરવા કરી માગ
રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા હોય તેવું જણાઈ રહ્યું છે. વધતી હાર્ટ એટેકની ઘટનાને લઇ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા નિદત્ત બારોટે પત્ર લખી SITની રચના કરવાની માગ કરી છે.
નિદત્ત બારોટે આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડો. નિદત્ત બારોટેએ પત્રમાં લખ્યું છે કે, છેલ્લા થોડા સમયમાં રાજકોટ સહિત રાજ્યના ધણા વિસ્તારમાંથી યુવાનોના હોર્ટ એટેકના સમાચાર મળી રહ્યાં છે. મેદાનોમાં હસતો રમતો યુવાન અચાનક હાર્ટ એટેકનો શિકાર બને અને હોસ્પિટલ સુધી પણ ના પહોંચી શકે આ સામાન્ય ઘટના ગણવી નહી.
અતિ સંવેદનશીલ વિષયમાં SIT બને તે જરૂરી છે: નિદત્ત બારોટ
તેમણે વધુમાં લખ્યું છે કે, રાજ્ય સરકારની મેડિકલ કોલેજો અને રાજ્યના નિષ્ણાંત કર્ડિઓલોજિસ્ટ ડોક્ટરોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવી જોઈએ. આ ટીમ તલસ્પર્શી અભ્યાસ કરે, શક્ય હોય તો યોગ્ય તારણો સુધી પહોંચે અને કોઈ ચોક્કસ ગાઈડલાઈનો સાથે રિપોર્ટ આપે તો ભવિષ્યમાં આવી દુ:ખદ ઘટનાઓ નિવારી શકાય. તેમણે પ્રહાર કરતા લખ્યું કે, આપણે દારૂ પકડાય તેવી ઘટનાઓમાં પણ SIT બનાવતા હોઈએ છીએ ત્યારે આવા અતિ સંવેદનશીલ વિષયમાં SIT બને તે જરૂરી છે.
જુઓ પત્ર...
કોંગ્રેસ નેતા નિદત્ત બારોટનું નિવેદન
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 25થી 40 વયના લોકોને હાર્ટ એટકના કિસ્સાઓ વધી રહ્યા છે, તાજેતરમાં રાજકોટમાં ક્રિકેટ રમતા રમતા યુવાનનું મૃત્યું થયું છે ત્યારે આપણે નાના નાના વિષયમાં પણ એસઆઈટી બનાવતા હોઈએ છીએ ત્યારે આરોગ્ય મંત્રીને પત્ર લખી આ બાબતે પણ એસઆઈટી રચવાની માંગ કરી છે.