રાહુલ ગાંધીએ કરેલી આઠ જાહેરાતનું વચનપત્ર તૈયાર કરાયું , એક કરોડ ઘરમાં પરિવાર દીઠ ઘરે ઘરે જઈ લોકો સાથે સંપર્ક બનાવવાનો પ્રયાસ
ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની વચનોની લ્હાણી
કોંગ્રેસ એક કરોડ થી દોઢ કરોડ રાહુલ ગાંધીના વચન પત્રો આપશે
આગામી 24,25 અને 26 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ ઘર ઘર સુધી જશે
ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની વચનોની લ્હાણી શરુ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે આ વખતે લોકો સુધી જશે. રાહુલ ગાંધીએ કરેલી આઠ જાહેરાતનું કોંગ્રેસે વંચન પત્ર તૈયાર કર્યું છે. કોંગ્રેસ એક કરોડ થી દોઢ કરોડ વંચન પત્રો આપશે. વંચન પત્ર માટે કોંગ્રેસ પક્ષે નંબર પણ જાહેર કર્યો છે. 8108125125 મિસકોલ કરી રજીસ્ટ્રેશન કરાશે. એક કરોડ ઘરમાં પરિવાર દિઠ એક વંચન પત્ર આપવામાં આવશે. આગામી 24,25 અને 26 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ ઘર ઘર સુધી જશે.આદિવાસીઓ માટે ઇન્દિરા વંચન પત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન આપ્યા હતા વચનો
તમામ નાગરિકોને 10 લાખ સુધી મફત સારવાર, વિનામૂલ્યે દવાઓ
દૂધ ઉત્પાદકોને પ્રત્યેક લીટર પર 5 રૂ.ની સબસીડી અપાશે
ગુજરાતમાં 500 રૂ.માં રાંધણ ગેસનો બાટલો અપાશે
છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો વિરૂદ્ધ કાયદો લવાશે
ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલાશે
3000 અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ બનાવાશે
દીકરીઓ માટે KGથી PG સુધીની શિક્ષા સંપૂર્ણ મફત આપવામાં આવશે
કોરોના મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર આપશે
મતદારોને રીઝવવા ભાજપ, કોંગ્રેસ અને AAPની રણનીતિ
આ વખતે ગુજરાતમાં ત્રણ પક્ષો મેદાને છે. એક તરફ AAP તરફથી કેજરીવાલ ગેરંટીઓ પર ગેરંટીઓ આપી ગુજરાતની જનતા માટે લહાણીનો વરસાદ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પણ મોટા વચનો આપી મતદારોને પડખે કરવાના પ્રયાસ કરી છે. સત્તાપક્ષ ભાજપ વિશ્વાસથી વિકાસ યાત્રા દ્વારા ભાજપ સરકારના કામો વિવિધ માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની સાણી જનતા કયા પક્ષ પર ભરોસો મૂકે છે.
ગુજરાત કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર: રાહુલ ગાંધી
મહત્વનું છે કે ગત 5 સપ્ટેબરના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રામાં તેમણે કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કર્યું હતું. કાર્યકરોને રાહુલ ગાંધીએ બબ્બર શેર કહ્યા. તેમણે કહ્યું કે, આજે અહીં હજારો બબ્બર શેર આવ્યા છે. તો આ કાર્યક્રમમાં અશોક ગેહલોત પણ હાજર રહ્યા. આ દરમિયાન તેમણે ગુજરાત સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. સાથે ગુજરાતની જનતાને ઉપરોક્ત કેટલાક વચનો પણ આપ્યા હતા.