ગુજરાત કોંગ્રેસે 8 ધારાસભ્યને લોકસભાની ચૂંટણીમાં ઉતારતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. યોગ્ય ઉમેદવાર ન મળતા કોંગ્રેસે ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે.
ગુજરાત કોંગ્રેસે 8 ધારાસભ્યને લોકસભાની ચૂંટણીમાં ઉતારતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. યોગ્ય ઉમેદવાર ન મળતા કોંગ્રેસે ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. રાજકોટ બેઠક પર મોહન કુંડારિયાને ટક્કર આપવા માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને મેદાને ઉતાર્યા છે.
તો અમરેલી બેઠક પરથી ખુદ વિધનાસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. તો પોરબંદર બેઠક પરથી ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ટિકિટ આપી છે. જૂનાગઢ બેઠક પરથી ઊનાના ધારાસભ્ય પૂંજા વંશને મેદાને ઉતાર્યા છે.
જ્યારે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને વલસાડથી ટિકિટ આપી છે. તો લીંબડીના ધારાસભ્ય સોમા પટેલને સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે. ગાંધીનગર બેઠક પરથી ધારાસભ્ય સી.જે.ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોરને સાબરકાંઠા બેઠક પરથી મેદાને ઉતાર્યા છે.
અગાઉ રાહુલ ગાંધી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, કોંગ્રેસના ધારાસભ્યોને ટિકિટ આપવામાં નહી આવે. પરંતુ ચૂંટણી સમયે કોંગ્રેસે રણનીતિમાં ફેરફાર કર્યો છે અને સક્ષમ ધારાસભ્યોને મેદાને ઉતાર્યા છે.