નવી દિલ્હીઃ રાજસ્થાનમાં હજુ પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત બાકી છે. ત્યારે નવા સીએમના નામ પર કોંગ્રેસનું વલણ બદલાયું છે. કોંગ્રેસ નવા સીએમ તરીકે મોવડીમંડળના યુવા ચેહરાને તક આપવા માગે છે. મોવડીમંડળ સચીન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માગે છે.
જો કે અશોક ગેહલોત મુખ્યમંત્રીની રેસમાં સૌથી મોખરે છે. પરંતુ તેમને હવે લોકસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપાઇ શકે છે. અશોક ગેહલોત ચૂંટણીની રણનીતિમાં નિપૂર્ણ છે. ત્યારે રાહુલ ગાંધી અશોક ગેહલોતને પોતાની સાથે રાખવા માગે છે.
બીજી બાજુ સચિન પાયલોટ પણ મુખ્યમંત્રી પદની દાવેદારી પર અડગ છે. ફરી એકવાર રાહુલ સાથે સચીન પાયલોટ બેઠક કરશે. રાહુલ ગાંધીના ઘરે રાત્રે 10.30 કલાકે ફરી બેઠક થશે. જણાવી દઇએ કે રાજસ્થાન મુખ્યમંત્રીને લઇને અત્યાર સુધી સંમતિ બની નથી.
તો અંગે કોંગ્રેસ રાજસ્થાનના પર્યવેક્ષક અવિનાશ પાંડેએ કહ્યું કે અમે પક્ષના તામામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે. જે રિપોર્ટ રાહુલ ગાંધીને સોંપવામાં આવ્યો છે. હવે રાહુલ ગાંધીએ સૂચના આપી છે કે અન્ય નેતાઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.
દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે પ્રદર્શન
રાજસ્થાનમાં સીએમના નામને લઈને પેંચ ફસાયો છે. ત્યારે જયપુરમાં પ્રદર્શન બાદ સચીન પાયલટના સમર્થકો હવે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે સચીન પાયલટના સમર્થકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સચીન પાયલટના સમર્થકોએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. રાજસ્થાનમાં સીએમ માટે અશોક ગહેલોતનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. જેથી સચીન પાયલટના સમર્થકો દ્વારા પ્રદર્શન કરાતા વરિષ્ઠ નેતાઓ પણ ગઈકાલે નારાજ થયા હતા.