સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે, ત્યારે તંત્રની સામે સુરત જ નહી આખું રાજ્ય અને દેશભરમાં જ્વાળામુખી જેવો રોષ ભભુકી રહ્યો છે.
તો બીજી તરફ કોંગ્રેસના યુવા નેતાએ હાર્દિક પટેલે 12 કલાકનો સમય આપીને સુરત મેયરનું રાજીનામુ લેવા અલ્ટિમેટમ આપ્યું છે. સાથે જ ગેરકાયદેસર બિલ્ડિંગના પ્લાનને માન્ય રાખનાર અને ઘટના સ્થળે સમયસર ન પહોંચી શકનાર ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કેસ કરવાની માંગ કરી છે.
सूरत में आग की घटना के बाद मुझे एसा था की सरकार बच्चों के परिवार को न्याय देगी लेकिन अभी तक कोई ठोस कार्यवाही नहीं हुई।मैं सूरत में आग की घटना में स्वर्गीय हुए बच्चों के परिवार को न्याय दिलाऊँगा और अपनी जिम्मेदारी से दूर भागने वाले अधिकारों को सज़ा दिलाकर रहूँगा।जय हिंद
गुजरात की भाजपा सरकार स्वर्गीय हुए बच्चों के परिवार को न्याय नहीं दे पाई तो आज शाम से मैं सूरत म्यूनिसिपल कॉर्परेशन कचहरी के सामने अनशन पर बेठूँगा।एक तरफ़ मातम हैं और दूसरी तरफ़ भाजपा अपने विजय उत्सव में व्यस्त हैं।सूरत की जनता से करोड़ों का टेक्स लिया जाता है लेकिन सुविधा नहीं।
सूरत में आग की घटना में स्वर्गीय हुए बच्चों के परिवारों से मिलूँगा।सरकार को 12 घंटे का वक्त देता हूं की सूरत मेयर का इस्तीफ़ा लिया जाए एवं अवैध बिल्डिंग बनाने की स्वीकृति देने वाले अधिकारी एवं वक़्त पर घटना स्थल न पहुँच ने वाले फ़ायर ब्रिगेड के अधिकारी पर मुक़दमा लगाया जाए।
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યુ કે, ''હું સુરતની ઘટનામાં સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય અપાવીશ અને પોતાની જવાબદારીથી દૂર ભાગનાર અધિકારીઓને સમાજ અપાવીશ. આજે હુ બાળકોના પરિવારોને મળીશ. સરકારને 12 કલાકનો સમય આપું છું કે સુરતના મેયરનું રાજીનામું લઈ લે અને ગેરકાયદેસર બિલ્ડિંગને પાસ કરનાર અધિકારી અને સમયસર ઘટના સ્થળે ન પહોંચનાર ફાયર બ્રિગેડના અધિકારી પર કેસ કરવામાં આવે. ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગવાસી થયેલા બાળકોના પરિવારને ન્યાય નહીં આપી શકે તો આજે સાંજથી હું સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે અનશન પર બેસીશ. એક બાજુ માતમ છે અને બીજી બાજુ ભાજપા પોતાનો વિજયોત્સવ મનાવવામાં વ્યસ્ત છે. સુરતની જનતાના કરોડોના ટેક્સ લેવાય છે પરંતુ સુવિધા નથી.''
આ ઘટના સર્જાતા સીએમ રૂપાણીએ સુરતની મુલાકાત લીધી હતી. સીએમ રૂપાણીએ પોલીસને જવાબદારો સામે કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા. અત્યાર સુધી આ મામલે 3 લોકો સામે ફરિયાદ થઈ છે. જોકે હજી સુધી માત્ર ટ્યુશન ક્લાસીસના સંચાલકની ધરપકડ થઈ છે. હજી સુધી બિલ્ડર પોલીસ પકડથી દુર છે.
પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected.
સુરતના તક્ષશિલા આર્કિંડના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા જેટલા વિદ્યાર્થીઓના મોત થતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.