ગાંધીનગર મનપાની ચૂંટણી 3 ઓક્ટોબરે યોજવા જઈ રહી છે ત્યારે મનપા કબજે કરવા ભાજપ, કોંગ્રેસ અને AAP ચૂંટણી પ્રચારમાં જોતરાઈ છે.
ગાંધીનગર મનપા કબજે કરવા કોંગ્રેસ એક્શનમાં
કોંગ્રેસે નેતાઓને સોંપી જવાબદારી
3 ઓક્ટોબરે યોજાશે મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી
ગુજરાતમાં મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની કરારી હાર બાદ ફરી એક વાર નવા જુસ્સા સાથે કોંગ્રેસ ગાંધીનગર મનપાની ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે.ત્યારે વોર્ડ દીઠ કોંગ્રેસે જૂના જોગીઓને જવાબદારી સોંપી દીઈ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. હાર્દિક પટેલથી માંડી ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા સુધીના કોંગી નેતાઓને વોર્ડ પ્રમાણે જવાબદારી આપવામાં આવી છે.
ગાંધીનગર મનપા કબજે કરવા કોંગ્રેસ એક્શનમાં
ગાંધીનગર મનપાની ચૂંટણીના મતદાન માટેની ઘડીઑ ગણાઈ રહી છે. 3 ઓક્ટોબરે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર મનપા કબજે કરવા કોંગ્રેસ એક્શનમાં આવી છે. કોંગ્રેસે આ માટે સિનિયર નેતાઓને 11 વોર્ડની 44 બેઠકો જીતવા અલગ અલગ વોર્ડ પ્રમાણેની જવાબદારી આપી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે પહેલા AAP અને બાદમાં ભાજપ ડોર ટું ડોર પ્રચાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીમાં પોતાનો ઝંડો ગાળવા ફરી એકવાર સિનિયરો પર ભરોસો મૂકી મોટા નેતાઓને ગાંધીનગર મનપાની ચૂંટણી જિતાડવા ઉતાર્યા છે.ત્યારે જુઓ કયા કોંગ્રેસના નેતાને કઈ વોર્ડની જવાબદારી સોંપાઈ
કોંગ્રેસે કયા નેતાને કયા વોર્ડમાં જવાબદારી સોંપી?
વોર્ડ નં- 1
સિદ્ધાર્થ પટેલ
વોર્ડ નં- 2
ભરતસિંહ સોલંકી
વોર્ડ નં- 3
અર્જુન મોઢવાડિયા
વોર્ડ નં- 4
બળદેવજી ઠાકોર
વોર્ડ નં- 5
નરેશ રાવલ
વોર્ડ નં- 6
શૈલેષ પરમાર
વોર્ડ નં- 7
જગદીશ ઠાકોર
વોર્ડ નં- 8
ડો.દિનેશ પરમાર
વોર્ડ નં- 9
હાર્દિક પટેલ, હિંમતસિંહ પટેલ
વોર્ડ નં- 10
દિપક બાબરીયા, હિમાંશુ પટેલ
વોર્ડ નં- 11
સાગર રાયકા
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ત્રિપાખિયો જંગ જોવા મળશે
3 ઓક્ટોબરે 11 વોર્ડની 44 બેઠકો જીતવા મુખ્ય ત્રણ પક્ષો મેદાનમાં ઉતરી રહ્યા છે જેમાં ભાજપ કોંગ્રેસ બાદ હવે AAP પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. હમણાં 6 મહિના પહેલા ગુજરાત ભરમાં યોજાયેલી મનપા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો હતો અને કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. પરંતુ સુરત મનપામાં આપ પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. જે બાદ હવે ત્રણેય પક્ષો એક સાથે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં સત્તા હાસિલ કરવા મથી રહ્યા છે ત્યારે ત્રિપાખિયો જંગમાં કોણ ફાવશે એ તો 5 ઓક્ટોબરે જ ખબર પડશે પણ હાલ તો ત્રણેય પક્ષના ઉમેદવારો દમ લગાવી ઘરે ઘરે જઈ મતદારોએ રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.