ઉત્તર પ્રદેશના ઉન્નાવથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે અને કોંગ્રેસ પાર્ટી સામે મોટો આરોપ લગાવ્યો છે. શનિવારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે સુભાષચંદ્ર બોઝની હત્યા કરી હતી.
ભાજપના સાંસદને નિવેદનથી સર્જાયો ખળભળાટ
સુભાષચંદ્ર બોઝની હત્યા કોંગ્રેસ કરાવી હોવાની કરી વાત
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, એક જાહેર સભાને સંબોધન કરતા ભાજપના સાંસદે કહ્યું, "હું દાવો કરું છું કે કોંગ્રેસે સુભાષચંદ્ર બોઝની હત્યા કરી હતી. મહાત્મા ગાંધી કે પંડિત નહેરુ તેમની લોકપ્રિયતા માટે ટકી શક્યા નહીં."
ભાજપના સાંસદના નિવેદનથી સર્જાયો વિવાદ
સાક્ષી મહારાજનું નિવેદન તે દિવસે આવ્યું જ્યારે દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવતો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કોલકાતામાં એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
#WATCH | "My allegation is that Congress got Subhash Chandra Bose killed....Neither Mahatma Gandhi nor Pandit Nehru could stand in front of his popularity," said BJP MP Sakshi Maharaj in Unnao yesterday pic.twitter.com/gaJJ6Le4j6
આપને જણાવી દઈએ કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ ઓડિશાના કટક ખાતે વકીલ જાનકીનાથ બોઝના જન્મ થયો હતો. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. નેતાજી આઝાદ હિંદ ફોજની સ્થાપના માટે પણ જાણીતા છે.
18 ઓગસ્ટ, 1945 ના રોજ, તાઈપેઇમાં વિમાન દુર્ઘટનામાં સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે વિવાદ થયો હતો. કેન્દ્ર સરકારે માહિતી અધિકાર અધિનિયમની (આરટીઆઈ)માં 2017 માં પુષ્ટિ કરી હતી કે તે જ ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું.