ગુલામ નાખી આઝાદે એક નિવેદનમાં પીએમ મોદીની પ્રશંસા કરી હતી, અને કહ્યું હતું કે તેઓ ગર્વથી પોતાને ચા વાળા તરીકે વર્ણવે છે.
કોંગ્રેસ નેતા આઝાદે કરી પીએમ મોદીની પ્રશંસા
પીએમ મોદી પોતાને ગર્વથી ચા વાળા તરીકે વર્ણવે છે : આઝાદ
વડાપ્રધાન મોદી જમીન સાથે જોડાયેલા નેતા છે : કોંગ્રેસ નેતા
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આજે પીએમ મોદીના વખાણ કર્યા હતા, અને કહ્યું હતું કે તેઓ પોતાને ગર્વથી ચા વાળા કહે છે, વધુમાં તેમણે કહ્યું હતું કે મારા તેમની સાથે રાજકીય મતભેદ છે, પણ પીએમ મોદી એક જમીની વ્યક્તિ છે.
પીએમ મોદી પાસેથી શીખવું જોઈએ : આઝાદ
કોંગ્રેસ નેતા આઝાદે આજે ગુજ્જર સમુદાયના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે પોતાની મૂળ વિનમ્રતા અને લોકોને ના ભૂલવા જોઈએ, લોકોએ આ મામલે પીએમ મોદી પાસેથી શીખવું જોઈએ, જે વડાપ્રધાન બન્યા પછી પણ પોતાના મૂળિયાને નથી ભૂલ્યા.
આ કાર્યક્રમમાં આઝાદે પીએમ મોદીના વખાણ તો કર્યા જ હતા અને સાથે તેમને એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા, આ સિવાય તેમની સાથેના રાજકીય મતભેદોનો ઉલ્લેખ કરીને કાશ્મીરની અર્થવ્યવસ્થા પર પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.
કોંગ્રેસ આલાકમાનને આપ્યો કડક સંદેશ
આ મામલે તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરની આર્થિક હાલત સૌથી પહેલા ઠીક કરવી પડશે, અને આ માટે વિકાસના કામમાં ગતિ ત્રણ ગણી વધારવી પડશે, આ સાથે જ આ સમયે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા મળતા ફંડને પણ વધારવાની માંગણી કરી નાખી હતી અને કહ્યું હતું કે અમારા સમયમાં બજેટ ઓછું હતું, પણ અમે અલગ અલગ જગ્યાએથી ફંડ મેળવી લેતા હતા, આ સિવાય તેમણે અને તેમની સાથેના જી23ના કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ હાઇકમાન્ડને કડક સંદેશ પણ આપ્યો હતો.
આ તકે આ ગ્રુપે ગાંધી પરિવારને કહ્યું હતું કે કોંગ્રેસે આ સ્વીકાર કરી લેવું જોઈએ, તેઓ કમજોર થઇ ગયા છે અને હવે તેમને મજબૂતીની જરૂર છે.