28 ડિસેમ્બરના રોજ દેશ સૌથી જુની પાર્ટી કોંગ્રેસ પોતાનો 136મો સ્થાપના દિવસ મનાવી રહી છે. પાર્ટીના સ્થાપના દિવસના એક દિવસ પહેલા જ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર ઇટાલી જવા રવાના થઇ ગયા હતા. જો કે પક્ષ તરફથી નિવેદન સામે આવ્યું કે રાહુલ ગાંધી પોતાના વ્યક્તિગત યાત્રા પ્રવાસ પર ગયા છે.
જો કે રાહુલ ગાંધી એવા સમયે વિદેશ યાત્રા પર ગયા છે જ્યારે એક તરફ દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને બીજી તરફ પાર્ટીનો સ્થાપના દિવસ છે. જેને લઇને કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર ટકોર કરી છે. તે સિવાય પાર્ટી આજે ખેડૂતોના સમર્થનમાં ત્રિરંગા યાત્રા નિકાળશે. આ સાથે કોંગ્રેસ પક્ષ યુવાઓને પોતાની સાથે જોડીને તેમની 'સેલ્ફી વિથ તિરંગા' નામનું અભિયાન પણ ચલાવશે.
કોંગ્રેસનો સ્થાપના દિવસ
કોંગ્રેસ આજરોજ પોતાનો 136મો સ્થાપના દિવસ મનાવી રહી છે. આ અવસર પર અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC)ના સભ્યોએ પાર્ટીની રાજ્ય એકમોને નિર્દેશ કર્યો છે કે તેઓ 'ત્રિંરગા યાત્રા'નું આયોજન કરે. કોરોના વાયરસને ધ્યાનમાં લઇ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ દરમિયાન આંદોલન કરી રહેલા સાથે એકજૂટતા પણ દાખવે. રાહુલ ગાંધીની ગેરહાજરીમાં હવે એ જોવાનું કે પાર્ટી મુખ્યાલયમાં ત્રિરંગો કોણ ફરકાવશે. જો કે એવુ માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા આ જવાબદારી નિભાવી શકે છે. કારણ કે આરોગ્યની સમસ્યાને લઇને સોનિયા ગાંધી સાર્વજનિક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં નથી.
देश हित की आवाज़ उठाने के लिए कांग्रेस शुरू से प्रतिबद्ध रही है।
आज कांग्रेस के स्थापना दिवस पर, हम सच्चाई और समानता के अपने इस संकल्प को दोहराते हैं।
પાર્ટીના સ્થાપના દિવસ પર રાહુલ ગાંધીએ કહ્યું કે આજે અમે સચ્ચાઇ અને સમાનતાના પોતાના આ સંકલ્પને પુનરાવર્તન કરીએ છીએ. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, 'દેશ હિતની અવાજ ઉઠાવવાને લઇને કોંગ્રેસ શરુઆતથી કટિબદ્ધ રહી છે. આજે કોંગ્રેસના સ્થાપના દિવસ પર આપણે સચ્ચાઇ અને સમાનતાના આ સંકલ્પને પુનરાવર્તન કરીએ છીએ. જય હિંદ'
ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર કરી ટકોર
રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર રવાના થવા પર ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે તેમના પર ટકોર કરી છે. ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીની ભારતમાં રજા પુરી થઇ ગઇ છે. ગિરિરાજસિંહે ટ્વિટક કરી કહ્યું કે 'ભારતમાં રાહુલ ગાંધી રજા પુરી થઇ ગઇ છે. આજે તેઓ ઇટાલી પરત ફરે છે.'
રાહુલ ગાંધી એવા સમયે દેશની બહાર છે જ્યારે પાર્ટીના સ્થાપના દિવસ અને નવા અધ્યક્ષની પસંદગીને લઇને આંતરિક ચૂંટણી પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. તે સિવાય સોશિયલ મીડિયાપર લોકોનું કહેવું છે કે તેઓ રાજનીતિને લઇને ગંભીર નથી.
ઇટાલી રવાના થયા રાહુલ ગાંધી
આ અગાઉ કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધીની વિદેશ યાત્રા અંગે જાણકારી આપી. સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી વ્યક્તિગત યાત્રાને લઇને વિદેશ ગયા છે અને તેઓ કેટલાક દિવસો સુધી બહાર રહેશે. જો કે સુરજેવાલાએ રાહુલ ગાંધી ક્યા ગયા છે તે અંગે કોઇ જાણકારી આપી નહોતી. સૂત્રોને મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધી ઇટાલી ગયા છે. રાહુલ ગાંધી કતાર એરવેઝની ફલાઇટથી ઇટાલીના મિલાન જવા રવાના થયા છે.