વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત વિરૂદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘનનો આરોપ લગાવનાર કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવની અરજીને ધ્યાને લઇને દેશની વડી અદાલતે ચૂંટણી પંચને નોટિસ ફટકારીને જવાબ માગ્યો હતો. આ મામલાની વધુ સુનાવણી 2 મેના રોજ કરવામાં આવશે
શું છે મામલો
ઉલ્લેખનીય છે કે, અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહે ચૂંટણી આચારસંહિતાનો વારંવાર ભંગ કર્યો છે જેથી તેમની સામે કાર્યવાહી થવી જોઇએ. સુપ્રીમ કોર્ટમાં આ અરજી કોંગ્રેસની મહિલા પાંખની અધ્યક્ષ અને સાંસદ સુષ્મિતા દેવ તરફથી દાખલ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે, આ મામલાની સુનાવણી વહેલી તકે થવી જોઇએ.
Supreme Court issues notice to Election Commission of India after hearing Congress MP Sushmita Dev's petition against PM Narendra Modi and BJP President Amit Shah for allegedly violating Model Code of Conduct. Next hearing on May 2. pic.twitter.com/iMwMOwlx2E
ત્યારે આજરોજ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસીનેતાની અરજીને ધ્યાને લઇને સુનાવણી હાથ ધરી હતી અને ચૂંટણી પંચને નોટિસ ફટકારતા આ મામલે તાત્કાલિક અસરથી જવાબ આપવા પણ કહ્યું હતું. ત્યારે આ મામલા અંગેની વધુ સુનાવણી આગામી 2 મેના રોજ કરવામાં આવશે.