કોંગ્રેસનુ પતન કોંગ્રેસને હાથે જ લખાયુ છે. રાજકોટમાં અવિશ્વાસની દરખાસ્તનો મામલો વણસ્યો છે. કોંગ્રેસને સત્તા ટકાવવાના ફાંફા પડી રહ્યા છે. કોંગ્રેસમાં યાદવાસ્થળી જેવો ઘાટ ઘડાયો છે. જેમ યાદવો જ યાદવોના પતનનું કારણ બન્યા હતા તેમ કોંગ્રેસના જ સભ્યો કોંગ્રેસના પતનનું કારણ બની રહ્યા છે. હવે અવિશ્વાસનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે.
ભાજપ પાસે 24 સભ્યોનું સંખ્યાબળ હોવાનો દાવો
34માંથી 22 સભ્યોનું ભાજપીકરણ થઈ ગયુ
કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલી પિટીશનની સોમવારે સુનાવણી
રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો મુદ્દો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. શાશક પક્ષ દ્રારા હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવી છે જેમાં અવિશ્વાસની દરખાસ્ત અમાન્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
અગાઉ બળવાખોર સભ્યો સામે કરાઈ હતી પિટીશન
પિટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ દ્રારા અગાઉ બળવાખોર સભ્યોના સભ્યપદ રદ્દ કરવા અંગેની પિટીશનનો ચુકાદો હજુ પેન્ડીંગ છે જેના કારણે આ સભ્યો પોતાનો મતાધિકારનો ઉપયોગ ન કરી શકે. કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલી પિટીશનની સોમવારે સુનાવણી થવાની છે. હવે હાઇકોર્ટ શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
કોંગ્રેસના 34 સભ્યો હતા
રાજકોટ જિલ્લા પંચાયતમાં 36 સભ્યો છે જેમાંથી ભાજપ પાસે માત્ર 2 જ સભ્યો હતા જ્યારે કોંગ્રેસના 34 સભ્યો હતા. જેમાંથી 11 સભ્યોએ ભાજપનો ભગવો પહેરી લીધો હતો. બાકીના પણ ધીરે ધીરે ભાજપની વાટ પકડી હતી. સિન એવો ભજવાયો કે 34માંથી 22 સભ્યોનું ભાજપીકરણ થઈ ગયુ હતુ.
કોંગ્રેસ ભાજપ સામ સામે 18-18નું સમીકરણ છે
રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ 36 સભ્યો છે જેમાં કોંગ્રેસના બળવાખોર ભાજપ સાથે હાથ મિલાવતા બંન્ને પક્ષમાં 18-18 સભ્યો છે. ભાજપ દ્રારા જે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે તેમાં ભાજપ પાસે 24 સભ્યોનું સંખ્યાબળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે ફરી રાજકારણ ગરમાયું છે.
કુંવરજી બાવળીઆએ ભગવો પહેરીને બીજાને પણ લઈ ગયા ભાજપમાં.
કોંગ્રેસમાંથી 11 સભ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં નીલેશ વિરાણી, ભાનબેન તળપદા, રેખાબેન પાટોડિયા, વજીબેન સાકળિયા, બચુભાઈ સોરાણી, રામભાઈ સાકળિયા, હેતલબેને ગોહિલ, વાલીબેન તળાવિયા, હંસાબેન ભોજાણી, નાથાભાઈ મકવાણા અને કે.પી. પાદરિયાનો સમાવેશ થાય છે. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.