કોંગ્રેસ હાઇકમાંડે પંજાબ કોંગ્રેસને લઈ ભલે પોતાનો છેલ્લો નિર્ણય સંભળાઈ દીધો છે અને તેની લગામ સિદ્ધુને સોંપી દીધી છે. પણ કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે પડેલી તિરાડ હવે બીજી કોઈ પણ રીતે સરખી થવાનું નામ નથી લેતી.
પંજાબ કોંગ્રેસમાં હજુ પણ વિખવાદ યથાવત
હાઇકમાન્ડના નિર્ણયથી કેપ્ટન હજી પણ નાખુશ
વિરોધીઓને પણ ગળે લગાવી રહ્યાં છે કેપ્ટન
પંજાબ કોંગ્રેસમાં હજુ પણ વિખવાદ યથાવત
કોંગ્રેસ હાઇકમાંડે પંજાબ કોંગ્રેસને લઈ ભલે પોતાનો છેલ્લો નિર્ણય સંભળાઈ દીધો છે અને તેની લગામ સિદ્ધુને સોંપી દીધી છે. પણ કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે પડેલી તિરાડ હવે બીજી કોઈ પણ રીતે સરખી થવાનું નામ નથી લેતી. આ વાત એટલા માટે સાબિત થઈ રહી છે કારણકે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે 21 જુલાઇના રોજ પંચકૂલાની એક હોટેલમાં નેતાઓને લંચ પર બોલાવ્યા છે. આ બાબતમાં નવાઈની વાત એ છે કે આ લંચમાં નવજોત સિંહ સિદ્ધુને બોલાવવામાં નથી આવ્યા. વધુમાં આ લંચમાં કોંગ્રેસના સાંસદોને પણ બોલાવવામાં આવ્યા છે. આ વાત સાબિત કરી રહી છે કે પાર્ટી હાઇકમાન્ડના નિર્ણયથી કેપ્ટન હજી પણ નાખુશ છે. કેપ્ટન હવે જાહેરમાં પોતાનો વિરોધ કરવા કરી રહ્યા છે. પણ આ વાત પર સિદ્ધુનું હજી સુધી કોઈ પણ રીએક્શન આવ્યું નથી.
હાઇકમાન્ડના નિર્ણયથી કેપ્ટન હજી પણ નાખુશ
હાઇકમાન્ડ દ્વારા જ્યારે આ નામ જાહેર કરવામાં આવ્યા ત્યારે સિદ્ધુ સૌથી પહેલા પટિયાલાના દુખ નિવારણ ગુરુદ્વારા ગયા અને માથું ટેકવ્યું. ત્યારબાદ કાળી માતાના દર્શન કરવા ગયા અને મસ્જિદમાં પણ ગયા. સિદ્ધુ સાથે ચાર નવા કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે અને તે તેમેને પણ સાથે લઈ ગયા હતા. સંગત સિંહ ગિલજિયા, કુલજીત નાગર, સુખવીન્દર સિંહ ડેની અને પવન ગોયલ આ ચાર તેમના નવા સાથી છે.
વિરોધીઓને પણ ગળે લગાવી રહ્યાં છે કેપ્ટન
સિદ્ધુનું પત્તુ કાપવા માટે કેપ્ટન અમરિંદરે જુના વિરોધીઓને રણ ગળે લગાવવા તૈયાર છે. ગત રાતે પંજાબના સીએમ કેપ્ટન અરમિંદર સિંહના સિસવાં ફાર્મ હાઉસમાં થયેલી બેઠકમાં કેપ્ટનના જુના વિરોધી પ્રતાપ સિંહ બાજવાની વચ્ચે વાતચીત થઈ અને સહમતિ બની. સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનવાથી રોકવા માટે હવે પાર્ટીમાં જુના કોંગ્રેસી નેતાઓને પણ મહત્ત્વ આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે.
પ્રતાપ સિંહ બાજવાના પક્ષમાં પણ કેટલાક કોંગ્રેસી
કોંગ્રેસના કેટલાક નેતા કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી કમિટીમાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં છે. કેપ્ટન અને અન્ય જુના કોંગ્રેસી ઈચ્છે કે જો પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બદલવા હોય તો કમાન પ્રતાપ સિંહ બાજવાને આપવામાં આવે. હાઈકમાન સુધી આ વાત ઉઠાવવાને લઈને ગત રાતે કેપ્ટન અને બાજવા વચ્ચે રણનીતી બની છે.