બિહારની 243 વિધાનસભા બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે. આ ચૂંટણીના પરિણામ 10 તારીખે એટલે કે આવતીકાલે આવનારા છે. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની વિદાય અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળા મહાગઠબંધનની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોથી ઉત્સાહિત કોંગ્રેસને હવે પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે આજે સુરજેવાલા પટના પહોંચી ચૂક્યા છે.
બિહારની 243 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ
10 નવેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામ
કોંગ્રેસને સતાવી રહ્યો છે તેમના ધારાસભ્યો તૂટવાનો ડર
કોંગ્રેસ હવે એેક્ટિવ મોડમાં આવી ચૂકી છે. કોંગ્રેસે મતગણતરી બાદ ધારાસભ્યોને એકસાથે રાખવા માટે 2 વરિષ્ઠ નેતાઓને પટના મોકલ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી મહાસચિવ અવિનાશ પાંડેય અને રણદીપ સુરજેવાલાને પટના રવાના કર્યા છે. આ બંને નેતાઓને ચૂંટણીના પરિણામની જાહેરાત થયા બાદની સ્થિતિમાં પ્રબંધકની જવાબદારી આપીને મોકલાયા છે.
જેડીયૂ અને એનડીએ વચ્ચે રહેશે કાંટાની ટક્કર
મળતી માહિતી અનુસાર એક્ઝિટ પોલમાં સત્તાધારી જનતા દળ યુનાઈટેડના નેતૃત્વ વાળા રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધનની વચ્ચે નજીકની લડાઈનું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. એવામાં વિરોધી પક્ષની તરફથી ધારાસભ્યોની લેવેચનો પ્રયાસ કરી શકાય છે. આ સ્થિતિને જોતાં બંને નેતાઓને પટના મોકલાયા છે. આ બંને નેતાઓ બિહારમાં રહેશે અને ગઠબંધન સહયોગીઓ સાથે સમન્વય બનાવી રાખશે.
મહાગઠબંધનમાં આરજેડીની સાથે કોંગ્રેસ અને વામદળ પણ સામેલ છે. જ્યારે એનડીએમાં જેડીયૂ, ભારતીય જનતા પાર્ટી, જીતનરામ માંઝીની પાર્ટી હમ, મુકેશ સહનીની વિકાસશીલ ઈન્સાન પાર્ટી પણ છે. લડાઈ નજીકની છે અને એનડીએ બહુમત માટે જરૂરી 122 સીટના જાદુઈ આંકડાની નજીક પહોંચે છે તો એ સમયે વિરોધી દળના પક્ષમાં ઘૂસની કોશિશ કરી શકાય છે. આ સ્થિતિમાં ઓછી સીટો જીતનારી પાર્ટીઓ વધુ સંવેદનશીલ બનશે.
કોંગ્રેસ પહેલાંથી થઈ સતર્ક
આ સ્થિતિને વિચારીને કોંગ્રેસ પહેલાંથી સતર્ક બની છે. તેઓએ તમામ ઉમેદવારોને ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે તેઓ જીતની ખુશીમાં વિજય જૂલુસમાં સામેલ ન થાય અને પ્રમાણપત્ર મેળવીને પટના ચાલ્યા જાય. મળતી માહિતી અનુસાર કોંગ્રેસની યોજના પોતાના દરેક ધારાસભ્યોને પટનાની કોઈ હોટલમાં રાખવાની છે. ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલના અનુમાન જો પરિણામામં ફેરવાશે તો મહાગઠબંધનની સરકાર બનવાનું નક્કી છે.