અમદાવાદમાં ઓવૈસીનું નિવેદનઃ આ રાજકીય સફર એક ચૂંટણી પુરતી નથી. AIMIM ગુજરાતમાં કાયમ સક્રિય રહેશે.
અમદાવાદમાં AIMIMની જનસભા
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન
આ રાજકીય સફર એક ચૂંટણી પુરતી નથીઃ ઓવૈસી
અમદાવાદમાં AIMIMની જનસભાનું આયોજન કરાયું. જેમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ ગુજરાતમાં ધર્મની રાજનીતિ કરતા 2002ની સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે હું 2002માં ગુજરાત આવ્યો હતો. આ રાજકીય સફર એક ચૂંટણી પુરતી નથી. AIMIM ગુજરાતમાં કાયમ સક્રિય રહેશે. કોઇ ભેદ વિના મજબૂર લોકો માટે AIMIM કામ કરશે. કોંગ્રેસ મજબૂત હોત તો હૈદરાબાદથી મારે અહીં ન આવવું પડ્યું હોત. મને ગમે તેટલી ગાળો આપો પણ મારી પ્રગતિ રોકી શકો નહીં. કોંગ્રેસ હાર્યા બાદ અમારા પર આક્ષેપ લગાવે છે. તેમજ આ અશાંત ધારો બંધારણ વિરુદ્વ છે તેમ જણાવ્યુ હતું.
મહત્વનું છે કે, ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજકોટ અને સુરતમાં રેલી યોજી રહ્યા છે. તો બીજી તરફ છોટુભાઈ વસાવા અને ઓવૈસી પણ પહેલા ભરૂચ, અમદાવાદમાં સભાને સંબોધન કરી રહ્યા છે. આ તમામ વચ્ચે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. પરંતુ કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું નથી. કારણ કે, સુરતમાં કોંગ્રેસ વિરુદ્ધ અલ્પેશ કથિરીયાએ મોરચો ખોલી દીધો છે. અને સુરતમાં કોંગ્રેસની સભા થશે તો, વિરોધ કરવાની વાત કથિરીયાએ કહી છે.