પંજાબના સીએમ ભગવંત માનને લુફથાંસા ફ્લાઈટમાંથી ઉતારી મૂકાયા હતા
ખૂબ દારુ પીધો હોવાને કારણે ઊભા પણ રહી શકતા નહોતા
મીડિયા રિપોર્ટને ટાંકીને બાદલે કર્યો આવો દાવો
શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પંજાબના સીએમ ભગવંત માનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને સુખબીર બાદલે દાવો કર્યો છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફથાંસા એરલાઇન્સમાંથી ઉતારવામાં આવ્યા હતા. સુખબીરના જણાવ્યા અનુસાર એરલાઈન્સે આ પગલું એટલા માટે ઉઠાવ્યું કારણ કે સીએમ માન એટલા નશામાં હતા કે તે ઉભા પણ રહી શકતા ન હતા.
Disturbing media reports quoting co-passengers say Pb CM @BhagwantMann was deplaned from Lufthansa flight as he was too drunk to walk. And it led to a 4-hour flight delay. He missed AAP's national convention. These reports have embarrassed & shamed Punjabis all over the globe.1/2 pic.twitter.com/QxFN44IFAE
ભગવંત માનને કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી
સુખબીર સિંહ બાદલે ટ્વિટ કરીને લખ્યું કે ભગવંત માન તાજેતરમાં જર્મની ગયા હતા. મુસાફરોની સાથે આવેલા ચોંકાવનારા મીડિયા અહેવાલો સામે આવ્યા છે કે પંજાબના સીએમ ભગવંત માનને લુફથાંસા એરલાઇન્સમાંથી ઉતારવામાં આવ્યા હતા કારણ કે તેઓ ખૂબ નશામાં હતા. આ કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. તેમણે કહ્યું કે આવો મીડિયા રિપોર્ટ દુનિયાભરના પંજાબીઓ માટે શરમજનક છે.
LoP @Partap_Sbajwa demands thorough enquiry into the reports that Punjab CM @BhagwantMann was deplaned at Frankfurt as he was allegedly not in a position to travel; to take up the issue with Civil Aviation minister @JM_Scindia to enquire from Lufthansa & make the reason public. pic.twitter.com/Q55LPwO7Q4
કેજરીવાલ સ્પસ્ટતા કરે, ભારત સરકાર પગલાં ભરે
સુખબીર બાદલે આગળ લખ્યું, આઘાતજનક વાત એ છે કે પંજાબ સરકાર મુખ્યમંત્રી વિશે આવા અહેવાલ પર ચૂપ છે. અરવિંદ કેજરીવાલે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ. ભારત સરકારે પગલા ભરવા જોઈએ કારણ કે તેમાં પંજાબી અને રાષ્ટ્રીય ગૌરવ શામેલ છે. જો તેમને ઉતારવામાં આવ્યા હોય, તો ભારત સરકારે તેના જર્મન સમકક્ષ સમક્ષ આ મુદ્દો ઉઠાવવો જોઈએ.
વિપક્ષી નેતાઓના ઉગ્ર પ્રહારો
આ મામલે હવે રાજનીતિ શરુ થઈ છે. વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ આ અહેવાલોની તપાસની માંગ કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સીએમ ભગવંત માનને ફ્રેન્કફર્ટમાં ઉતારવામાં આવ્યા હતા કારણ કે તેઓ મુસાફરી કરવાની સ્થિતિમાં ન હતા. તેમણે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા સમક્ષ આ મુદ્દો ઉઠાવવાની માંગ કરી છે જેથી આ કારણ જાહેર કરી શકાય. ભાજપના સાંસદ પરવેશ વર્માએ કટાક્ષ કરતા એવું લખ્યું કે ભગવંત માને કેજરીવાલ પાસે ભારતમા દારુ ન પીવાનું વચન લીધું હતું પરંતુ વિદેશમાં નહીં.