કોંગ્રેસે જાહેર કરેલા નામ મુજબ માણાવદર વિધાનસભાથી અરવિંદ લાડાણી, ધ્રાંગધ્રા બેઠક પરથી દિનેશ પટેલ અને જામનગર ગ્રામ્ય બેઠક પરથી જયંતિ સભાયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે આખરે કોંગ્રેસે મોડી રાતે ઉમદેવાર તરીકે જયંતિ સભાયાને ટિકિટ આપી છે.
કોંગ્રેસમાં અનેક ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી હતા ત્યારે કોંગ્રેસે વિધાનસભા પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે મોડી રાતે વિધાનસભાની પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટાચૂંટણી માટે નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે જાહેર કરેલા નામ મુજબ માણાવદર વિધાનસભાથી અરવિંદ લાડાણી, ધ્રાંગધ્રા બેઠક પરથી દિનેશ પટેલ અને જામનગર ગ્રામ્ય બેઠક પરથી જયંતિ સભાયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે આખરે કોંગ્રેસે મોડી રાતે ઉમદેવાર તરીકે જયંતિ સભાયાને ટિકિટ આપી છે. ભાજપના પાટીદાર ઉમેદવારની સામે કોંગ્રેસ દ્વારા પણ પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યા છે.
કોંગ્રેસના આંતરિક વિખવાદ બાદ અંતિમ તબક્કે જયંતિ સભાયાને તક મળી છે. દાવેદારના રાફડા વચ્ચે હાઈ કમાન્ડે જયંતિ સભાયાને તક આપી છે. પોતાના ધંધાને લઇને સુરત સ્થાયી થયેલા જયંતિ સભાયા લેઉવા પાટીદાર છે. ભાજપ દ્વારા લેઉવા પટેલ પાટીદાર રાઘવજી પટેલને મેદાને ઉતારી દેવાયા છે.
કોંગ્રેસે પણ ભાજપની જેમ જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને જયંતિ સભાયા પર પસંદગી ઉતારી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા એક બીજાને મીઠાઈ ખવડાવીને નિર્ણયને વધાવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારે લોકોની સમસ્યા ઉજાગર કરવાની ખાતરી આપી અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.