ગુજરાત કોંગ્રેસે ભારે હિંમત કરી ભાજપ પહેલા જ પેટાચૂંટણીના ચાર બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમા થરાદ, લુણાવાડા, અમરાઇવાડી અને બાયડ બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
જેમા થરાદ બેઠક પરથી ગુલાબ સિંહ રાજપૂત, બાયડ બેઠક પરથી જશુભાઇ પટેલ, અમરાઇવાડી પરથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા પરથી ચૌહાણ ગુલાબસિંહના જાહેર કરાયા છે.
ગુલાબસિંહ રાજપુત-થરાદ
ગુલાબસિંહ રાજપુત બનાસકાંઠા જિલ્લામાંથી આવે છે. થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુતને કોંગ્રેસે ટિકિટ આપી છે. ગુલાબ સિંહે વિદ્યાર્થી સંગઠન NSUIથી રાજનીતિની શરૂઆત કરી હતી. વર્ષ 2011થી 2013 સુધી ગુજરાત NSUIના પ્રમુખ રહ્યા હતા. વર્ષ 2013માં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય છે. NSUIમાં સારી કામગીરી બદલ યુથ કોંગ્રેસમાં નિમણૂંક કરાઇ. હાલ તેઓ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે સંગઠનમાં કાર્ય કરી રહ્યા છે.
ધર્મેન્દ્ર પટેલ- અમાઈવાડી
એક સમયે ધર્મેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના નજીકના ગણાંતા હતાં. આનંદીબેન UP રાજ્યપાલ બન્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. ધર્મેન્દ્ર પટેલ SPGમાં સક્રીય રહ્યાં છે. કોંગ્રેસે તેમને અમરાઇવાડી બેઠક પર ટિકિટ આપી છે. ધર્મેન્દ્ર પટેલ અમરાઇવાડીમાં ઉમિયા પરિવાર સંગઠન ચલાવે છે.
ગુલાબસિંહ ચૌહાણ- લુણાવાડા
ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસે લુણાવાડા બેઠક પર ટિકિટ આપી છે. એમણે મહિસાગર જિલ્લાના પંચાયતના સભ્ય છે. ગુલાબસિંહ લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસમાં જોડાયા હતા. ઓબીસી મતદારો પર તેમનું મોટું પ્રભુત્વ છે.