વરિષ્ઠ નેતા જિતિન પ્રસાદ બાદ કોંગ્રેસના અનેક નેતા 2022ના ચૂંટણી પહેલા પાર્ટીની સાથે છોડાઈ શકે છે.
કોંગ્રેસના અનેક નેતા 2022ના ચૂંટણી પહેલા ભાજપમાં છોડાઈ શકે
વરિષ્ઠ નેતા જિતિન પ્રસાદ પણ ભાજપમાં જોડાશે
પાર્ટી તરફથી જિતિનને રોકવા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી
કોંગ્રેસના અનેક નેતા 2022ના ચૂંટણી પહેલા ભાજપમાં છોડાઈ શકે
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે થવા જઈ રહી છે પણ અત્યારથી ત્યાંની રાજનીતિમાં હચલચ શરુ થઈ ગઈ છે. ખાસ કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જિતિન પ્રસાદ બાદ કોંગ્રેસના અનેક નેતા 2022ના ચૂંટણી પહેલા ભાજપ પાર્ટીની સાથે છોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત કેટલાક વર્ષમાં કોંગ્રેસના અનેક મોટા નેતા રીતા બહુગુણા જોષી. જગદંબિકા પાલ બાદ હવે જિતિન પ્રસાદ પાર્ટી બદલી ચૂક્યા છે.
પાર્ટી તરફથી જિતિનને રોકવા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી
અંગ્રેજી અખબારના સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના અનેક નેતાઓને એ ખબર હતી કે જિતિન પ્રસાદ જેવા નેતા ભાજપમાં જવાના છે. તેમ છતાં પાર્ટી તરફથી તેમને રોકવા માટે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. કોંગ્રેસના એક નેતાએ કહ્યુ કે દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા ‘આયા રામ ગયા રામ’ એટલે કે દરેક પાર્ટીના નેતા પક્ષ બદલતા રહે છે. તેમના જણાવ્યાનુંસાર હાલના દિવસોમાં કોંગ્રેસને આનું ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યુ છે. તેમણે દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસના અનેક નેતા વિકલ્પની શોધમાં છે.
આ બે ધારાસભ્યોના નામની પણ ચર્ચા
જિતિન પ્રસાદ બાદ દરેકની નજર કોંગ્રેસના વધુ 2 ધારાસભ્યો પર ટકેલી છે. આ છે રાયબલેરીના ધારાસભ્ય અદિતિ સિંહ અને હરચંદપુરના એમએલએ રાકેશ સિંહ. દાવો છે કે તેમને ભાજપ સાથે સારો મેળ છે. કોંગ્રેસન અનેક નેતાઓનું કહેવું છે કે પાર્ટી આ દિવસોમાં મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. એક અન્ય નેતાએ કહ્યુ કે કોંગ્રેસ નેતૃત્વને પાર્ટી સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપવુ જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પાર્ટીને સત્તાના દાવેદાર મનાય.