લોકસભા ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. અહેમદ પટેલ રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોનો હાજર રહ્યા હતા.
કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં ભરતસિંહ સોલંકીનું સંબોધન
નારાજ નેતાઓને લઇને ભરતસિંહ સોલંકીનો કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે તમારા પોતાના નામે કેટલા મત મળે તે વિચારો. કોંગ્રેસમાં ગાંધી સરદાર સોનિયા રાહુલના નામે મત મળે છે. આપણા નામે મત મળે કે નહીં તેનું આત્મમંથન જરૂર કરવું. કોંગ્રેસના કેટલાક નેતાઓ પ્રદેશ હોદેદારોથી નારાજ છે. અલ્પેશ ઠાકોર અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ નારાજ છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન
ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ છે કે રાજ્ય અને દેશમાં RSSની વિચારધારાની સરકાર છે. સરકારમાં પ્રજાનું ભવિષ્ય ધૂંધળુ બન્યુ છે. રાજ્યના CM રૂપાણીને સ્વીકારવુ જોઈએ કે તેમની સરકાર ભ્રષ્ટાચારી છે.
ત્યાર બાદ તેમણે લોકસભાની ચૂંટણી વિશે પ્રતિક્રિયા આપી છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા 'ખાટલા સભા' 'ચૌરે પે ચર્ચા' જેવા કાર્યક્રમો કરાશે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર કરવા આવશે. રાહુલ ગાંધી 4 ઝોનમાં 4 સભાઓ સંબોધશે.
આ દરમિયાન અહેમદ પટેલે આપી પ્રતિક્રિયા
આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો તૈયારી છે. લોકસભાની ચૂંટણીમા ગુજરાતની તમામ 26 બેઠકો પર કોંગ્રેસ જીતવાના પ્રયાસ કરશે. સાથે જ તેમણે જણાવ્યુ કે પ્રદેશ કોંગ્રેસમાંથી મતભેદો દૂર કરાશે. નવુ સંગઠન જાહેર થયા બાદ નવી કારોબારી રચાશે.
ત્યાર બાદ તેમણે વાયબ્રંટ પર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે વાયબ્રંટથી રાજ્યને શું ફાયદો થયો તેનો સરકારે શ્વેતપત્ર બહાર પાડવો જોઈએ. સરકારને માત્ર ઈવેન્ટ મેનેજમેન્ટ કરતા આવડે છે. આ ઉપરાંત તેમણે ગઠબંધન પર જણાવ્યુ કે પીએમ મોદી ગઠબંધનથી ડરી ગયા છે. સાથે જ તેમણે રામ મંદિર મુદ્દે પ્રતિક્રિયા આપી છે કે કોર્ટ જે નિર્ણ લેશે તેને કોંગ્રેસ સ્વીકારશે.
કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં અહેમદ પટેલે કહ્યું કે રાજ્ય અને દેશ બરબાદ થઇ રહ્યાં છે. ખોટા વાયદા કરી સરકારમાં આવી ગયા. કોંગ્રેસ દેશ માટે અનેક બાલિદાન આપ્યા છે. 2014 વાતાવરણ અલગ હતુ 2019નું અલગ વાતાવરણ છે. મોદી સરકારે દેશની સ્થિતિ બગાડી છે. દેશની સમૃદ્ધિ પાછળ કોંગ્રેસનો હાથ છે. ભાજપે દેશને 25 વર્ષ પાછળ ધકેલ્યો છે.
કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં રાજીવ સાતવનુ સંબોધન
રાજીવ સાતવે કહ્યું કે 5 રાજ્યોના પરિણામોનો મુખ્ય શ્રેય ગુજરાતના પરિણામોને. કોંગ્રેસનો મુખ્ય એજન્ડા યુવાઓને રોજગાર ખેડૂતોની દેવા માફી છે.