રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક યોજાવામાં ખુબ જ મુશ્કેલીઓ આવી રહી છે. પરંતુ, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી માટે CWCની બેઠકમાં કોણ સામેલ થશે તેના પર ચર્ચા છેડાઇ ગઇ છે. કેટલાક નેતાઓનું કહેવું છે કે જ્યારે ઉપલા સ્તરે જ પદ ખાલી હોય ત્યારે એવામાં પાર્ટીના સંવિધાન મુજબ 29 સ્થાઇ આમંત્રિત સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો અને કાર્ય સમિતિના જૂના સભ્યો નવા અધ્યક્ષની નિયુક્તિ માટે CWCની બેઠકમાં સામેલ થઇ શકતા નથી.
તેના બદલે માત્ર 24 પૂર્ણકાલિન સભ્યો જ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં CWCની બેઠકમાં ભાગ લઇ શકે છે. ઇકોનોમિક્સ ટાઇમ્સમાં છપાયેલ સમાચાર મુજબ, 1991માં રાજીવ ગાંધીની હત્યા કર્યા બાદ માત્ર 24 સભ્યોએ નરસિમ્હા રાવને કોંગ્રેસના નવા અધ્યક્ષ રૂપે ચૂંટયા હતા. વર્ષ 1996માં રાવના રાજીનામા બાદ જ્યારે સીતારામ કેસરીને ચૂંટવામાં આવ્યા હતા ત્યારે આ નિયમ જાળવી રાખવામાં આવ્યો હતો.
તેના બાદ 1998માં સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવામાં આવ્યા. મોટાભાગના નેતા જેમણે રાહુલ ગાંધીના રાજીનામા બાદ નવા અધ્યક્ષના ભવિષ્યને લઇને પોતાના વિચાર જાહેર કર્યા છે, તેમાંથી મોટાભાગના CWCના પૂર્ણકાલિન સભ્યો નથી. કેટલાક આંમત્રિત સભ્યો આ સંબંધમાં કોઇ અપવાદના બનવાને લઇને અંદાજ લગાવી રહ્યા છે.
શું અધ્યક્ષ પદ છોડનાર રાહુલ ગાંધી આમંત્રિત સભ્યોને CWCની વિશેષ બેઠકમાં સામેલ થવા સહમતિ આપવાનો અધિકાર રાખે છે, સવાલના જવાબમાં નેતા કહે છે કે, હજુ સુધી આવી કોઇ સિમા ચિન્હ નથી.
કોંગ્રેસે નિયમોના પાલન કરવામાં ખુબ જ સાવચેતી રાખી છે જેથી નવા અધ્યક્ષની ચૂંટણીમાં વિરોધી તત્વો તેને કોર્ટમાં પડકારી શકે નહીં. જોકે, કોંગ્રેસના પૂર્વ મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ મંગળવારે પૂછ્યું હતું કે ગાંધી અથવા સલાહકારો દ્વારા કોઇ નવા પાર્ટી પ્રમુખની ચૂંટણી માટે ઇન હાઉસ ચર્ચા કરવા માટે કોઇ ઔપચારિક સલાહકાર સમિતિ કમે ન બનાવી?