સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમિટીઓની રચના કરી છે. આ કમિટીઓમાં અર્જુન મોઢવાડિયા, દિપક બાબરિયા, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, કાદીર પીરઝાદા અને સિદ્ધાર્થ પટેલને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કોર્ડીનેશન કમિટીમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સહિત 25 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમિટીઓની કરી રચના
કોંગ્રેસે અલગ અલગ કમિટિઓની જાહેરાત કરી
કેમ્પેઈન કમિટીના ચેરમેન તરીકે અર્જુન મોઢવાડિયા
કોંગ્રેસે અલગ અલગ કમિટિઓની જાહેરાત કરી છે. જેમાં કેમ્પેઈન કમિટીના ચેરમેન તરીકે અર્જુન મોઢવાડિયાને જવાબદારી સોંપવામાં આવી છે. તો મેનિફેસ્ટો કમિટીની જવાબદારી દિપક બાબરિયાને, ભરતસિંહ સોલંકીને સ્ટ્રેટેજીક કમિટીની જવાબદારી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીની જવાબદારી સિદ્ધાર્થ પટેલને, મીડિયા અને પબ્લીસીટી કમીટીની જવાબદારી તુષાર ચૌધરીને અને કાદીર પીરઝાદાને પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશનની કમિટીની જવાબદારી સોંપાઇ છે.
કોર્ડીનેશન કમિટીમાં 25 નેતાઓનો સમાવેશ
જ્યારે કોર્ડીનેશન કમિટીમાં 25 નેતાઓનો સમાવેશ કરાયો છે. તો પ્રદેશ પ્રભારી રાજીવ સાતવને કોર્ડીનેશન કમિટીના ચેરમેન બનાવાયા છે.