કોંગ્રેસમાં હવે ગુજરાતની બાકી રહેલી 13 બેઠકો પર ઉમેદવારોનું કોંકડુ ગૂંચવાયું હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે, ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું હોવાં છતાં 13 બેઠકોની જાહેરાત બાકી છે. ભાજપ સામે સક્ષમ ઉમેદવારની શોધ માટે કોંગ્રેસનું મહામંથન ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠાથી પરથી ભટોળ અને ગોવા રબારીનાં નામ પર ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત ગોવિંદ ચૌધરી અને દિનેશ ગઢવીનાં નામ પર પણ ચર્ચા ચાલી રહી છે.
ત્યારે મહેસાણા બેઠક પરથી એ. જે. પટેલ અને ડૉ. રાજેશ પટેલનાં નામ પર ચર્ચા ચાલી રહી છે. સાબરકાંઠાથી રાજેશ કુંપાવત અથવા રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ આપવા મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિંમતસિંહ પટેલ અને રોહન ગુપ્તાનાં નામ પર ચર્ચા ચાલી રહી છે. તો સુરેન્દ્રનગરથી સોમા પટેલ અને ઋત્વીજ મકવાણાનાં નામ પર ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી 13 બેઠકોનાં નામની તો સત્તાવાર રીતે જાહેરાત કરાઇ છે. પરંતુ હજી ભાજપ સામે એવાં કયાં સક્ષમ ઉમેદવારો ઉતારવા તેને લઇને કોંગ્રેસનું મહામંથન ચાલી રહેલ છે. ત્યારે તમને જણાવી દઇએ કે કોંગ્રેસે હમણાં જ તાજેતરમાં જે ગુજરાતની વિધાનસભાની 6 બેઠકોની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમાં સૂત્રો મુ 7 સીટોના નામ ફાઈનલ હતાં પરંતુ એક સીટ બારડોલી પર વિવાદ થતાં તેની જાહેરાત અટકાવાઈ હતી.
જો કે ગઇ કાલે બારડોલી બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવારનાં વિવાદનો અંત આવ્યો હતો. તુષાર ચૌધરીનું નામ કોંગ્રેસ હાઈકમાન્ડે નક્કી કરી દીધું છે. બારડોલી બેઠક પર તુષાર ચૌધરી કોંગ્રેસનાં ઉમેદવાર કરી કે સત્તાવાર રીતે તુષાર ચૌધરીનું નામ કોંગ્રેસે જાહેર કર્યું છે. જેથી હવે બારડોલીમાં ભાજપનાં પ્રભુ વસાવા સામે કોંગ્રેસનાં તુષાર ચૌધરીનું નામ જાહેર થયું છે. પરંતુ હજી પણ બાકી રહેલાં 13 ઉમેદવારોનું કોંકડુ કોંગ્રેસ માટે ગુંચવાડાભર્યુ છે.
Congress Central Election Committee announces the next three candidates for the ensuing elections to the Lok Sabha pic.twitter.com/BxBmNLg1wN