પ્રધાનમંત્રી મોદી પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક મોટો પ્રહાર કરીને તેમને તાનાશાહ ગણાવ્યાં છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશનું પીએમ મોદી પર ટ્વિટ બન્યું ચર્ચાસ્પદ
7 તાનાશાહ સાથે કર્યું ટ્વિટ જેમા સાતમા ક્રમે પીએમ મોદીને રાખ્યાં
ભાજપે પણ નેહરુ, ઈન્દીરા અને રાજીવને નામે સાધ્યું નિશાન
કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'ના નામને લઈને વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. તેમણે પીએમ મોદી પર નિશાન સાધવા માટે દુનિયામાં થઈ ગયેલા તાનાશાહોની યાદી ટ્વિટર પર શેર કરી હતી, જેમાં વડાપ્રધાનનું નામ પણ છેલ્લે લખવામાં આવ્યું છે. જયરામ રમેશે કહ્યું કે પીએમને તેમના નામ પરથી સ્ટેડિયમની આસપાસ ફરતા જોઈને મને એવા નેતાઓની યાદ આવી જાય છે જેમણે પોતાના જીવનકાળ દરમિયાન સ્ટેડિયમોના નામ પોતાને નામે રાખ્યાં હતા.
The PM's recent lap around his namesake stadium should remind us of a list of other leaders who got stadiums named after themselves during their own lifetimes.
1. Stalin
2. Hitler
3. Mussolini
4. Kim Il Sung
5. Muammar Gaddafi
5. Saddam Hussein
6. Recep Erdoğan
7. Narendra Modi
જયરામ રમેશે ટ્વિટર પર 7 નામનો ઉલ્લેખ કર્યો
જયરામ રમેશે ટ્વિટર પર 7 નામનો ઉલ્લેખ કર્યો હતો. આ નામોના અંતે વડાપ્રધાન મોદીનું નામ છે. સૌથી પહેલા આ લિસ્ટમાં જોસેફ સ્ટાલિનનું નામ સૌથી પહેલા છે. તેમના પછી હિટલર, બેનિટો મુસોલિની, કિમ ઇલ સુંગ, સદ્દામ હુસૈન, રિસેપ તૈયિપ એર્દોગાન અને નરેન્દ્ર મોદીનો નંબર આવે છે. જયરામ રમેશે એક તરફ વડાપ્રધાન મોદીની તુલના આ તમામ નેતાઓ સાથે કરી છે.
જયરામના સાતના બદલમાં ભાજપે ઉમેર્યાં કોંગ્રેસના 3 નામ
જયરામ રમેશના આ ટ્વીટ પર ભાજપના નેતા તેજિંદર સિંહ સરને જવાબ આપ્યો હતો. "નહેરુ વંશના વડા પ્રધાન આપણને અન્ય નેતાઓની સૂચિની યાદ અપાવે છે જેમણે તેમના જીવનકાળ દરમિયાન તેમના નામે સ્ટેડિયમો / પુરસ્કારો બનાવ્યા હતા. તેમણે આગળ 9 નામ લખ્યા, જેમાં જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો સમાવેશ થાય છે.
PMs from Nehru Dynasty remind us of a list of other leaders who got stadiums/Awards named after themselves during their own lifetimes
1. Stalin
2. Hitler
3. Mussolini
4. Kim Il
5. Muammar Gaddafi
5. Saddam Hussein
6. Recep Erdoğan
7. JN Nehru
8. Indra Gandhi
9. Rajiv Gandhi
નેહરુ-ગાંધી વંશના પ્રધાનમંત્રીઓ આપણને અન્ય નેતાઓની યાદીની યાદ અપાવે છે, જેમણે તેમના પોતાના જીવનકાળ દરમિયાન સ્ટેડિયમો/પુરસ્કારો પોતાના નામ પર રાખ્યા હતા
1. સ્ટાલિન
2. હિટલર
3. મુસોલિની
4. કિમ ઇલ
5. મુઅમ્મર ગદ્દાફી
5. સદ્દામ હુસૈન
6. રેસેપ એર્ડોગન
7. જવાહરલાલ નેહરુ
8. ઈન્દીરા ગાંધી
9. રાજીવ ગાંધી
સ્ટેડિયમના નામ પર કેમ થયો વિવાદ?
2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તે સમયના અમેરિકાના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતના અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. પહેલા તેનું નામ મોટેરા સ્ટેડિયમ હતું, પરંતુ વર્ષ 2021માં તેનું નામ બદલવામાં આવ્યું હતું. તેનું નામ બદલીને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ અંગે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વચન પણ આપ્યું હતું કે જો તેની સરકાર બનશે તો તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)નું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ રાખશે.