રાજસ્થાનમાં કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારોની વચ્ચે કોંગ્રેસ મહાસચિવ અશોક ગહલોતે આજે એક વધારે નામ બહાર પાડ્યું છે. અશોક ગહલોતે જોધપુર ખાતે કહ્યું કે કેકડી વિધાનસભાથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના અજમેરના સાંસદ રઘુ શર્મા પણ મુખ્યમંત્રી બની શકે છે
કારણ કે તેઓ રાજસ્થાનમાં કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ છે અને એવું પણ થાય છે કે ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ મુખ્યમંત્રી બનતા હોય છે.
ખરેખર અશોક ગહલોતને જ્યારે પુછવામાં આવ્યું કે જો કોંગ્રેસ સત્તા પર આવે છે તો મુખ્યમંત્રી કોણ બનશે ત્યારે અશોક ગેહલોતે કહ્યું કે પહેલાં બે દાવેદાર હતા હવે પાંચ થઇ ગયા છે.
સીપી જોશી ગિરીજા વ્યાસ લાલચંદ કટારિયા રામેશ્વર ડૂડી પણ મુખ્યમંત્રીના દાવેદારની દોડમાં સામેલ છે. અશોક ગહલોતના આ નિવેદનના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
કારણ કે એવુ માનવામાં આવે છે કે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત કોઇ પણ નિવેદન વિચાર્યા વગર આપતા નથી તેની પાછળ કોઇપણ હેતુ હોય છે. અશોક ગહલોત પોતાનું નામાંકન ભર્યા બાદ બે દિવસથી જોધપુર ખાતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.
અશોક ગેહલોતને જ્યારે તેમના પુત્રને લઇને તેના રાજકારણ પ્રવેશ માટે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે હું મારી ઇચ્છા છે કે તે પોતાની મહેનતથી આવે.